Breaking NewsLatest

ભારતનું સૌથી મોટું ૧૪ માળનું ક્રૂઝ શિપ બ્રેકીંગ માટે અલંગ શિપ યાર્ડ આવશે.

લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપનું આગમન આ માસ નાં અંત સુધીમાં થશે. ભારતનું સૌથી મોટું અને લકઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી મેરીટાઇમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ 11.65 લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી. કેશ બાયરે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારતના શિપબ્રેકરોને જહાજ વેચવાની વાટાઘાટો કરી હતી. એમાંથી અલંગના પ્લોટ નં.વી-7 નાં માલિક મુકેશભાઈ પટેલ દ્વારા આ મહાકાય જહાજ ને ખરીદી લીધું હતું.

કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ 12મી માર્ચ 2020થી મુંબઇ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ 60 ક્રૂ-મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે. આ જહાજ ઘણાં લાંબા સમય થી મુંબઇ-દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું હતુ. કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, અને તે ક્રૂઝ સેવામાં ખાસ્સું લોકપ્રિય છે. અલંગના પ્લોટ નં.વી-7 આર.કે.ઇન્ડસ્ટ્રીઝ એલએલપી દ્વારા પેસેન્જર શિપ ખરીદવામાં આવ્યું છે.

આ મહિના નાં અંત સુધીમાં એટલે કે નવેમ્બરના અંત સુધીમાં આ જહાજ અલંગ આવી પહોંચે તેવી શક્યતાઓ છે. તરતી જન્નતના હુલામણા નામથી જાણીતા કર્ણિકા લક્ઝુરિયસ ક્રૂઝ શિપની માલીકી જાલેશ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે, પરંતુ તેઓ નાદાર સાબિત થતા જહાજને વેચવાનો વારો આવ્યો હતો.

પેસેન્જર જહાજ કર્ણિકા 1990માં બનાવવામાં આવેલું છે.

તેની અંદર જોગિંગ ટ્રેક, ડેક ચેસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, લોન બોલ સ્પોર્ટ્સ સવલતો વાળા ભાગો આવેલાં છે.

કુલ 14 માળ ધરાવતાં આ જહાજમાં 2014 પેસેન્જર અને 621 ક્રૂનો સમાવેશ થાય છે. તેની અંદર 430 પેસેન્જર કેબિનો આવેલી છે.162 બાલ્કની કેબિન છે. 8 રેસ્ટોરાંટ તેમજ, 2 સ્વિમિંગ પૂલ, 3 વાઇન બાર, 1 મિની થિયેટર, 2 એક્વા સ્પા, પૂલ સાઇડ મોટી સ્ક્રીન, ડાન્સ ફ્લોર, નાઇટ ક્લબ, 2 ઝાકુઝી જેવાં આકર્ષક ભાગો આવેલ છે. આ મહાકાય જહાજ નું વજન 31064 મેટ્રિક ટન વજન ધરાવે છે.245 મીટર લાંબું અને 32 મીટર પહોળું અને કુલ 14 માળ આવેલા છે.

રિપોર્ટ મહેશ બારૈયા અલંગ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *