Breaking NewsLatest

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ દુકાનમાં વહેલી સવારે આગ લાગતા આસપાસની દુકાનોમાં આગની ઝપેટમાં આવી ખાખ થઈ હતી આગ લાગતા આસપાસની આશરે 28 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકે આગને કાબુમાં લીધી હતી. કોમ્પ્લેક્ષમાં મોટાભાગની મોબાઇલની દુકાનો હતી. દુકાનોમાં આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી અને અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર જાણવા મળેલ નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાની તપાસનો દોર હજુ ચાલી રહયો છે. કોમ્પ્લેક્ષમાં ભોંયરામાં પણ દુકાનો હોવાનું સામે આવ્યું છે તેમાં ફાયર સેફ્ટી પણ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારી રાજેશ ભટ્ટ દ્વારા જણાવ્યા મુજબ એક સાથે આ આગ કેમ ફેલાઈ તેના કારણ માટે FSL ને જાણ કરવામાં આવી સાચું કારણ તપાસ ને અંતે જાણી શકાશે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *