bhavnagarBreaking NewsGujaratLatest

ભાવનગર જિલ્લાની વિકાસગાથા રજૂ કરતી પુસ્તિકા વિકાસ વાટિકા નું પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાનાં હસ્તે  વિમોચન

ભાવનગર જિલ્લામાં સરકારશ્રીની યોજનાકીય સિદ્ધિઓ અને વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલાં વિકાસકાર્યોને ઉજાગર કરતી વિકાસ વાટિકા ૨૦૨૩-૨૪ નું લોકાર્પણ આજે ગાંધીનગર ખાતે રાજ્યનાં મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં મંત્રીશ્રી તેમજ ભાવનગર જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

ભાવનગરનાં કલેક્ટરશ્રી આર.કે.મહેતા એ પ્રભારી મંત્રીશ્રીને પુસ્તિકામાં સમાવિષ્ટ વિગતો અને આલેખન અંગે માહિતી આપી હતી.

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ માહિતીસભર અને આકર્ષક વિકાસ વાટિકા તૈયાર કરવા બદલ જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.

આ તકે મંત્રીશ્રીનાં અંગત સચિવ શ્રી દીક્ષિત જોશી,અધિક અંગત સચિવ શ્રી એ.પી.મકવાણા,નાયબ માહિતી નિયામક શ્રી ચિંતન રાવલ,માહિતી મદદનીશ શ્રી કૌશિક શીશાંગીયા ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિકાસ વાટિકા ૨૦૨૩-૨૪ જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરવામાં આવી છે.

નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા આયોજન અધિકારીશ્રી કે.વી.પટેલ તથા નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલ એ વિકાસ વાટિકા પુસ્તિકાના સંપાદન કાર્યમાં માર્ગદર્શન પૂરું પાડ્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 231

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *