bhavnagar

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેની સ્વયંસેવકોની બેઠક મળી

સંત બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ આયોજન માટે આજે ગુરુઆશ્રમના બગદાણાના ગોપાલગ્રામના વિશાળ સંકુલ ખાતે સ્વયંસેવકોની બેઠક યોજાઈ હતી.

આગામી તા. 25/1/2027 (પોષ વદ ચોથ)ના રોજ સદગુરુ દેવ શ્રીબજરંગદાસ બાપાની પચાસમી મહાપરીનિર્વાણ પુણ્યતિથિ મહોત્સવ, અર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 108 કુંડી અતિ મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પંચ દિવસીય 108 કુંડિય અતિ મહાવિષ્ણુયાગ મહોત્સવની પૂર્વ તૈયારી અને પૂર્વ આયોજન તેમજ તૈયારીઓ અંગે એક અગત્યની બેઠકનું આજરોજ થયું હતું.

જેમાં વિશાળ સંખ્યામાં ગુરુઆશ્રમ બગદાણાના સ્વયંસેવકો જોડાયા હતા. ગુરુ આશ્રમ બગદાણા ખાતે રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા અને આશરે છેલ્લા 50 વર્ષથી સમર્પણ સાથે સેવા આપતા સ્વયંસેવકોને અહીંથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .ઉલ્લેખનીય છે કે બગદાણા ખાતે નિયમિત રીતે સેવા આપતા એવા 464 ભાઈઓના મંડળો તેમજ 880 બહેનોના મંડળો હાલ કાર્યરત છે.

આજની સભામાં યોગેશભાઈ સાગર એ મહા વિષ્ણુયાગની અને પાંચ દિવસના આ મહોત્સવની વિગતો આપી હતી. ટ્રસ્ટી શ્રીઓ ધીરુભાઈ બાબરીયા, શ્રી રણજીતસિંહ ગોહિલ, શ્રી વિનોદભાઈ ગુજરાતી, શ્રી નિલેશભાઈ ડોડીયા હાજર હતા.

લોકસાહિત્યકાર મેરાણભાઈ ગઢવી તેમજ ગાયક બીપીનભાઈ સઠીયા એ પ્રારંભે બાપા અને ગુરુ આશ્રમનું મહિમા ગાન કર્યું હતું. કરણાભાઈ ભમ્મર ,માર્કંડભાઇ પંડ્યા તેમજ ગુરુ આશ્રમના મેનેજર સુરુભા ગોહિલ તેમજ દિનેશભાઈ સહિતના આજના કાર્યક્રમ માટે સંકલનમાં રહ્યા હતા.

ઉપરાંત આગામી માસે તા.29/7/2026 અને બુધવારના રોજ મહિમાપૂર્ણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવાનું આયોજન હોય, સર્વ સ્વયંસેવકોને આ દિવસ નિમિત્તે કરવાની થતી કામગીરીની વહેચણી સાથેની વિગતો પણ આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *