bhavnagarBreaking NewsGujaratHelth

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી. શ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે.

સિહોર સરકારી હોસ્પિટલ માં છેલ્લા થોડા સમયથી કંડમ એમ્બ્યુલન્સ હાલતને લઇ દર્દીઓને પરેશાની થતી હતી. જેને લઇ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ સિહોર સરકારી હોસ્પિટલ માટે રજૂઆત કરવામાં આવેલ હતી. જે અંગે કેન્દ્ર સરકારના તત્કાલીન આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા એ આશરે 10 લાખની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત ભાવનગર મારફતે ખરીદી કરીને આ નવી એમ્બ્યુલન્સ વાહન ટાટા વિંગર ગાડી સિહોર સી.એચ.સી. હોસ્પિટલ માટે ફાળવવામાં આવી હતી.

જેમાં ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સંકુલમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મિયાણી,તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી,આર.સી.એચ. ઓ શ્રી કોકિલાબેન સોલંકી, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી અશોકભાઈ સોલંકી,સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી તેમજ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમા લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા…

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા પાલીતાણા સિન્ધી સમાજ…

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

1 of 387

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *