Breaking NewsLatest

કાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિયોદર એસટી બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. સાંસદ પરબતભાઇ રહેશે ઉપસ્થિત

બનાસકાંઠા: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ નવા વર્ષે સાંજે-૪.૦૦ કલાકે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિયોદર ખાતે નિર્માણ પામેલ એસ. ટી. બસ સ્ટેશનનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરશે. આ પ્રસંગે બનાસકાંઠા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

પાલનપુર એસ. ટી. વિભાગના દિયોદર મુકામે રૂ. ૧૫૯.૧૩ લાખના ખર્ચે બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનથી આ અંદાજે ૩૫,૦૦૦ મુસાફરોને વાહન-વ્યવહારની સુવિધા પ્રાપ્તર થશે. આ બસ સ્ટેશનમાં ૭૦૦ બસોનું આવાગમન રહે છે. જેમાં વિધાર્થી ટ્રીપ-૧૨૨ દૈનિક, એક્ષપ્રેસ ટ્રીપ-૫૦ દૈનિક, લોકલ ટ્રીપ- ૩૫૦ દૈનિક, અન્ય ડેપો વિભાગની ટ્રીપો-૫૩ દૈનિક, આમ કુલ ટ્રીપો- ૪૫૩ દૈનિક છે. આ બસ સ્ટેશન પરથી વિધાર્થીઓને માસિક ૩૦૦ પાસ અને વિધાર્થીનીઓને માસિક ૫૦૦ પાસ, આમ કુલ- ૮૦૦ પાસ વિધાર્થીઓને કાઢી આપવામાં આવે છે તથા મુસાફર પાસ માસિક ૧૨૦ કાઢી આપવામાં આવે છે. તેમ બનાસકાંઠા જિલ્લા એસ. ટી. વિભાગીય નિયામકશ્રી સોલંકીએ જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *