Latest

શાળાએ જઇ શિક્ષકોના આશીર્વાદ લેતા જામનગરના ધ્રોલ પોલીસકર્મીઓ

જામનગર, સંજીવ રાજપૂત: ભારતમાં દર વર્ષ ૦૫ મી સપ્ટેમબરે “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાક્રુષ્નનના જન્મદિવસની ઉજવણી તરીકે મનાવવામાં આવે છે.

જે અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્રારા ધ્રોલ ટાઉનમાં આવેલ શ્રી જી. એમ. પટેલ સ્કુલ-ધ્રોલ તથા શ્રી ડી. એચ. કે મુંગરા સ્કુલ-ધ્રોલ તથા શ્રી એમ.ડી.મહેતા સ્કુલ-ધ્રોલ ખાતે તેઓએ ઉચ્ચ અભ્યાસ પુર્ણ કરેલ હોય જેથી તમામ સ્કુલ ખાતે જઇ શિક્ષકોને મળી “શિક્ષક દિન” અંગેની શુભેચ્છા પાઠવી હતી તથા શાલ ઓઢાળી પુષ્પગુચ્છથી શિક્ષકોને સન્માનીત કર્યા હતા. આ શુભ દિવસના અવસરે પોલીસ કર્મીઓએ એક વિદ્યાર્થી તરીકે તમામ શિક્ષકોના આશીર્વાદ લીધા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *