bhavnagarBreaking NewsEducationGujaratHelthIndia

ભારત પરિભ્રમણ કરવાં સાયકલ યાત્રા પર નિકળ્યો સોમનાથના તાલાલાનો બોરવાવ( ગીર) ગામનો ભાવેશ સાંખટ. ૧૨માં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરનાં નવ યુવાનોએ સ્વાગત કર્યું

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના આગવા પ્રયાસો થકી ગુજરાતનની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની જે નેમ છે તેને સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમભાઈ સાંખટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યાં છે.ભાવેશ સાખંટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી તા.૨૯ ઓગસ્ટ ના રોજ પ્રસ્થાન કર્યું છે. આજે તેઓ તેમના પ્રસ્થાનના બારમાં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરના યુવાનોએ સ્વાગત કર્યું હતું.

ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, પવિત્ર સ્થળે કચરો ન નાખવો, યુવા પેઢીને વ્યસન મુક્તિ માટેના અને સંસ્કૃતિને ઉજાગર કરતા સંદેશો આપશે અને તેઓ ૨ બે વર્ષ સુધી ભારતભરમાં વિવિધ જગ્યાઓએ પરિભ્રમણ કરશે.

આ તકે ભાવનગર આવી પહોંચેલા નવ યુવાનનું ભાવનગર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મીરાકુંજ સ્ટાફનાં શ્રી બુધેશભાઈ જાંબુચા,શ્રી રાજુભાઈ, શ્રી અશોકભાઈ મકવાણા, શ્રીવિક્રમભાઈ સોલંકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 370

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *