Latest

લીલા દુષ્કાળની પરિસ્થીતી સર્જાતા અન્નદાતા ખેડુતોને સહાય ચુકવવા રજુઆત

ધારાસભ્ય કસવાલા દ્વારા રાજયના કૃષી મંત્રીને કરાઈ લેખીત અને મૌખીક રજુઆત

શીંગ, કઠોળ અને કપાસની તબાહી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી નિયમ મુજબની સહાય ચુકવવાની માંગણી કરતા શ્રી મહેશ કસવાલા

આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીની ઝડપથી સર્વે થવી જોઈએ : શ્રી કસવાલા

સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કરી જણાવ્યુ હતુ કે, ૧૬/૧૦/૨૪ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં ભારે અતિભારે વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે

ગત તા.૧૬-૧૦-૨૦૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુ વિસ્તારમાં ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે અને લીલા દુષ્કાળની સર્જાયેલી છે

જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનીનો તાત્કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા અમોનેમૌખીક રજુઆત કરેલ છે. ઉપરોકત રજુઆત અન્વયે ખેડૂતોના હિતને ઘ્યાનમાં રાખી અને આર્થીક રીતે નુકશાન ન થાય તે માટે મારા વિધાનસભા મત વિસ્તારમાં ભારે વરસાદને કારણે તૈયાર થયેલ પાક નુકશાન થયેલ હોય જેનું સર્વે કરાવી તાત્કાલીક નિયમો મુજબની આર્થીક સહાય ચુકવવા માટે ધારાસભ્યશ્રી મહેશભાઇકસવાલાએ કૃષી મંત્રીશ્રીને રજુઆતમાં જણાવ્યુ હતુ તેમ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાએ અખબારીયાદીમાં જણાવાયુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *