Latest

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ચંદ્રગઢ-વાવ બેરાજા ગામના વાડી વિસ્તારમાં રૂ.12 લાખથી વધુના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રસ્તા તથા પાણીની ગ્રામજનોની વારંવારની રજૂઆતોને ધ્યાને લઈ સરકારે યોગ્ય મંજૂરી આપતા આજે આ વિકાસ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સમગ્ર દેશના દરેક ઘરોને નળથી જળ ઉપલબ્ધ થાય તે માટેની નેમને સાકાર કરવાનો આ યથાર્થ પ્રયાસ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળી રહે, સિંચાઈનું પાણી તથા પાકના પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકાર સતત ચિંતિત છે અને આ દિશામાં સકારાત્મક નિર્ણયો લઈ પૂરતા પ્રયત્નો કરી રહી છે.ખેડૂતને પોતાની જણસનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના પૂરતા ભાવો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને સમયસર તેની ખરીદી કરી ખેડૂતોને કોઈપણ જાતનું આર્થિક નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકા હેઠળના વાવ-બેરાજા ગામની મોટાભાગની વસતી આસ પાસના વાડી વિસ્તારોમાં રહે છે. આથી આ ગ્રામજનોને પીવાના પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સસોઈ જૂથ યોજનાના ચંદ્રગઢથી વાડી વિસ્તારમાં બનાવવામાં આવેલ 50 હજાર લીટર ક્ષમતાના હયાત સંપ સુધી 90 મી.મી. વ્યાસની અંદાજિત ત્રણ કિ.મી.ની પી.વી.સી. પાઈપલાઇન તથા પંપિંગ મશીનરીના કામ માટે રૂ.૧૨,૯૪,૬૮૦ ની સરકાર દ્વારા મંજૂરી મળેલ છે. જે કામગીરીની અમલવારી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયેથી વાવ બેરાજા ગામની આસ પાસના વાડી વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારીમાં વધારો થશે.

આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા આગેવાન સર્વ ડો.વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા સહિત ગામના સરપંચઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એબીએનએસ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *