Devotional

મોટા મંદિર દ્વારા સૌ પ્રથમવાર ભગવાનશ્રી જગન્નાથની રથયાત્રા લીંબડી ખાતે યોજાઈ

સુરેન્દ્રનગર, સંજીવ રાજપૂત: લીંબડી ખાતે અષાઢી બીજના દિવસે લીંબડી મોટા મંદિર આયોજીત રથયાત્રા લીંબડી શહેરના મુખ્ય માર્ગ ઉપર નિકળેલ હતી.

આ રથયાત્રા માં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા મુખ્ય યજમાન પદે રહેલ તેમજ લીંબડી શહેરમાંથી દરેક સમાજના લોકો, નિલકંઠ વિદ્યાલયના વિધાર્થી – વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં જનમેદની હાજર રહેલ.

તેમજ રથયાત્રા દરમ્યાન લીંબડી ક્ષત્રિય સમાજ, મુસ્લીમ સમાજ, દલવાડી સમાજ, વ્હોરા સમાજ, વેપારીઓ, આગેવાનો, કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવેલ હતું. તેમજ દલવાડી સમાજ ભગવાનના મોસાળુ બનીને ધન્યતા અનુભવ કરેલ.

તેમજ તાજેતરમાં જ લીંબડી શહેર ક્ષત્રિય સમાજની નવી કમીટી રચના કરવામાં આવેલ હતી. આ રથયાત્રા દરમ્યાન લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ કમીટીના પ્રમુખ સહદેવસિંહ રાણા, મહામંત્રી મહાવિરસિંહ ઝાલા, ઉપપ્રમુખ વિજયસિંહ ઝાલા, બળદેવસિંહ રાણા, કૃષ્ણસિંહ રાણા, પ્રતાપસિંહ રાણા, ગજુભા ઝાલા, ગણપસિંહ ચુડાસમા, ઘનુભા ઝાલા, લખધીરસિંહ ઝાલા, કૃષ્ણસિંહ ઝાલા, ભુરૂભા ઝાલા, નાગદેવસિંહ ઝાલા, દિલીપસિંહ (મુન્નાભાઈ) જાડેજા,

ગિરરાજસિંહ ઝાલા, અલ્પેન્દ્રસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ઝાલા, પ્રધ્યુમનસિંહ જાડેજા, ભરતસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, ઈન્દ્રસિંહ વાઘેલા, હર્ષવર્ધનસિંહ રાણા, જોરૂભા જાડેજા, પરાક્રમસિંહ ઝાલા, ખુમાનસિંહ રાઓલ, અશોકસિંહ ઝાલા, કિશોરસિંહ રાણા, દિપકસિંહ વાઘેલા, યશવંતસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ જાડેજા, રૂપેન્દ્રસિંહ ઝાલા, કે.કે.રાણા, પ્રધ્યુમનસિંહ ઝાલા, શ્યામસિંહ જાડેજા, અશોકસિંહ (પાંચુભા) ઝાલા, જયેન્દ્રસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ઝાલા, તેમજ દલવાડી સમાજના આગેવાન દલસુખભાઈ ચૌહાણ, હરજીભાઈ ચૌહાણ, મહેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ, હિંમતલાલ ચાવડા,

માલધારી સમાજના આગેવાન પ્રવિણભાઈ ભરવાડ, રાજુભાઈ ભરવાડ, મનુભાઈ જોગરાણા, તથા પી.બી. ચૌહાણ, જયેન્દ્રભાઈ પરમાર, યશવંતસિંહ પરમાર, સોની સમાજ આગેવાન નટુભાઈ સોની, રાજુભાઈ સોની, નિલકંઠ વિદ્યાલય ચેરમેન લાલાભાઈ પટેલ, બકુલભાઈ ખાખી, દલિત સમાજ ના આગેવાન ભૂવા જાદવજીભાઈ મકવાણા, તથા લીંબડી નગરપાલિકા તામમ સદસ્યો, લીંબડી શહેર ભાજપ આગેવાનો, હોદ્દેદારો અને દરેક સમાજમાંથી ભાઈ-બહેનો અને સાધુ સંતો મહંતો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લીંબડીમાં પ્રથમ સાર્વજનિક કાર્યક્રમમાં રથયાત્રાના રૂટ દરમ્યાન ભાવિ ભકતો માટે અનાનસના ઠંડા શરબત અને પાણીની વ્યવસ્થા કરી સેવાકેમ્પ ગોઠવવામાં આવેલ હતો.

અને ભગવાનશ્રી જગન્નાથજીનાં દર્શન કરીને મહંતશ્રી લાલદાસજી બાપુના આશિર્વાદ લીધેલ હતા. તેમજ લીંબડી શહેરમાં લીંબડી પોલિસ પી.આઈ. જે. એન. સોલંકી તેમજ પોલીસ કો. મિતુલભાઈ પટેલ, પોલીસ જવાનો તથા જી.આર.ડી. હેડ કો. અમિતભાઈ ચૌહાણ તથા યશપાલસિંહ ઝાલા દ્વારા હોમગાર્ડ, જી.આર.ડી, ટી.આર.બી જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજી

તીર્થ દર્શન સાથે કથા લાભ લેતાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં ભાવિક શ્રોતાઓ રામેશ્વર…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *