Latest

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ શિબિર યોજાઈ.

ડીસા: રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય ની જાણીતી ગ્રાહક, હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ગ્રાહક સપ્તાહ ની ઉજવણી જિલ્લા માં ઠેર ઠેર કરવામાં આવી રહી રહી છે તે જ શ્રંખલામાં આજે ૨૩/૧૨/૨૦૨૫ ના રોજ ભોયણ ખાતે આવેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ડીસા શહેર મામલતદાર ડી. એન. બધેકા અને ડીસા ગ્રામ્ય મામલતદાર શ્રી બારોટ ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ શિબિર અને સેમીનારનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમ માં ડીસા તોલમાપ ઇન્સ્પેક્ટર ઉત્તમભાઈ, શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા ના પ્રમુખ અને પ્રસિદ્ધ ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે, મંત્રી પ્રીતેશ શર્મા, સહયોગી હિતેશ સોનગરા તેમજ iti કોલેજ ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમ ની શુરૂવાત મહેમાનો ના સ્વાગત થી થઈ હતી.
ત્યારબાદ ડીસા તોલમાપ ઇન્સ્પેક્ટર ઉત્તમભાઈ એ ગ્રાહક અધિકારો નો ઉલ્લેખ કર્યો હતો.

ત્યારબાદ ડીસા શહેર મામલતદાર શ્રી ડી.એન. બધેકા એ ઉપસ્થિત ગ્રાહક વર્ગ ને માર્ગદર્શન આપી તેમની ફરજો નિભાવી જાગૃત ગ્રાહક બનવાની હાંકલ કરી હતી.

ત્યારબાદ ડીસા ગ્રામ્ય મામલતદાર શ્રી બારોટ એ ગ્રાહકો ના થતાં શોષણ સામે ગ્રાહકોને રાખવાની થતી સાવધાની રાખી એક જાગૃત ગ્રાહક બની સમાજ ને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
ત્યારબાદ ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે એ પોતાની આગવી શૈલી માં ગ્રાહક ની વ્યાખ્યા કરી વર્તમાન માં ગ્રાહક ની પરિસ્થિતિ નો ઉલ્લેખ કરી ડિજિટલ યુગ માં ગ્રાહકો ને ઝડપી ન્યાય તરફ સરકારના ઇ જાગૃતિ પોર્ટલ વિશે માહિતી આપી હતી.

અને જણાવ્યું હતું કે ગ્રાહક બજાર નો રાજા છે એક શિક્ષિત અને જાગૃત ગ્રાહક જ મજબૂત ભારત નું નિર્માણ કરી શકે છે, આ સાથે સાથે કિશોર દવે એ ખોરાકમાં થતી ભેળસેળ અંગે પણ જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે શુદ્ધ ખોરાક એ ગ્રાહક નો અધિકાર છે.
કાર્યક્રમનો સફળ સંચાલન દિવ્યાંગભાઈ ત્રિવેદી અને રાજુ ભાઈ જોશી એ કર્યું હતું..

રિપોટર દિનેશભાઇ સોનગરા હિંમતનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *