bhavnagar

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગારિયાધાર ખાતે તાલુકા યોગ શિબિર યોજાઈ

ભાવનગર, એબીએનએસ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગારિયાધાર ખાતે તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૧૨ જેટલા નાગરિકોએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર વાલજીભાઈ ડાભી તેમજ જિલ્લા કોઓર્ડિનેટર વિશાલભાઈ ડાભીએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા તન અને મનનાં સ્વાસ્થ્યના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ યોગ શિબિરો યોજાઈ રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે.

શિબિરનું આયોજન યોગ કોચ ભદ્રેશભાઈ, મયંકભાઇ તેમજ અન્ય ટ્રેનર દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *