bhavnagar

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગારિયાધાર ખાતે તાલુકા યોગ શિબિર યોજાઈ

ભાવનગર, એબીએનએસ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગારિયાધાર ખાતે તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૧૨ જેટલા નાગરિકોએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર વાલજીભાઈ ડાભી તેમજ જિલ્લા કોઓર્ડિનેટર વિશાલભાઈ ડાભીએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા તન અને મનનાં સ્વાસ્થ્યના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ યોગ શિબિરો યોજાઈ રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે.

શિબિરનું આયોજન યોગ કોચ ભદ્રેશભાઈ, મયંકભાઇ તેમજ અન્ય ટ્રેનર દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *