bhavnagar

આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન

પૂજ્ય બાપુ એ પૂજા અર્ચન સાથે પ્રથમ મુસાફરી કરી નામ સ્મરણ સાથે શુભેચ્છા પાઠવી

આજરોજ મહુવા એસ. ટી વિભાગ દ્વારા તલગાજરડા થી સાળંગપુર બસ સેવાનો એસ. ટી. વિભાગ ના અધિકારી ગણ તેમજ રાજસ્વી મહાનુભાવો લોક સાહિત્યકાર માયાભાઇ આહીર તેમજ વિશાળ ભક્તજનો, નગરજનો વચ્ચે પૂજ્ય મોરારીબાપુ ના કર કમળ દ્વારા શુભારંભ થયેલ

મહુવા એસ ટી વિભાગ દ્વારા ઘણા સમય પહેલા તલગાજરડા થી દ્વારકા બસ સેવા પૂજ્ય બાપુ ના આશીર્વાદ સાથે તેના કરકમળ દ્વારા શરુ કરવામાં આવેલ તેના સારા પ્રતિસાદ બાદ ધર્મ પ્રેમી જનતા ની મૌન માંગણી ને જાણી ને મહુવા ના એસ. ટી. વિભાગ ના નિવૃત કર્મચારી શ્રી રજનીકાંત દેવમુરારી ના સવિશેષ પ્રયત્ન થી એસ, ટી વિભાગ ના પૂર્ણ સહકાર થી સફળતા મળતા આજ થી તલગાજરડા થી સુપ્રસિદ્ધ હનુમાનજી મહારાજ ના સ્થાન એવા સાળંગપુર ખાતે ની લોક સુખાકારી અર્થે બસ સેવા નો પ્રારંભ પૂજ્ય બાપુ ના કરકમળ દ્વારા પૂજા અર્ચન કરી પ્રથમ મુસાફરી કરી પૂજ્ય બાપુ એ પ્રારંભ કરાવેલ

આ સેવા ના શુભારંભ ના પ્રારંભે એસ ટી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તલગાજરડા થી સવારના 10/30 કલાકે સાળંગપુર જવા બસ રવાના થશે જે તળાજા ભાવનગર વલ્લભીપુર થઇ આશરે સાળંગપુર બપોર ના 4 વાગ્યાં ની આજુબાજુ પહોંચશે તો આજ બસ 4/30 વાગે સાળંગપુર થી મહુવા તલગાજરડા આવવા બસ રવાના થશે અને સાંજે 8/30 વાગ્યાં ની આજુબાજુ રૂપિયા 190 મુસાફરી ના ખર્ચ સાથે મહુવા તલગાજરડા આ બસ પહોંચશે

આ બસ સેવા પ્રારંભે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખશ્રી બચુભાઈ પટેલ, એસ. ટી વિભાગીય નિયામક વડા રજનીકાંત શ્રી પિલવાઇકર સાહેબ, ડેપો મેનેજર ભાવનગર પટેલ સાહેબ. મહુવા ડેપો મેનજર જાડેજા સાહેબ, સરપંચશ્રી તલગાજરડા લોકસાહિત્યકાર માયાભાઇ આહીર સમગ્ર એસ. ટી સ્ટાફ મહુવાની સાથે એસ ટી વિભાગ ના નિવૃત કર્મચારી એવમ પ્રવાસી મુસાફરી ની સુવિધા માટે હંમેશા પ્રયત્નશીલ રજનીકાંત દેવમુરારી સાહેબ ની સાથે રાજસ્વી મહાનુભાવો, નગરજનો ભક્તજનો ની ખાસ ઉપસ્થિતિ રહી હતી

આ પ્રસંગે પૂજ્ય બાપુ ની સાથે મુસાફરી દરમ્યાન માયાભાઇએ
તેમના જીવન નો મુસાફરી નો પ્રસંગ ને યાદ કરી હાસ્ય પીરસ્યુ હતું પૂજ્ય બાપુ એ પણ રાજીપો વ્યક્ત કરી આ ઉત્તમ સેવા માટે નામ સ્મરણ સાથે શુભેચ્છા પાઠવી હતી

તો આગામી સમય માં એસ ટી વિભાગ દ્વારા તલગાજરડા થી પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ ની બસ સેવા પણ શરુ કરવામાં આવશે તેવી વિભાગ દ્વારા વાત જાણવા મળી રહી છે આ સેવા શરુ કરવા વિભાગીય વડા એ પણ હકારાત્મક અભિગમ બતાવેલ છે .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

પચ્છેગામ શ્રી મુરલીધર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *