bhavnagar

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

ઈકો અને કાર વચ્ચે માર્ગ અકસ્માતમાં એકનું મોત, 4ની હાલત ગંભીર

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અને અકસ્માતમાં ઈજાગ્રસ્તો સારવાર અર્થે ભાવનગર સરકારીમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ માસૂમનો ભોગ લીધો છે. સનેસ (સનેડી) ચોકડી પાસે આજે બે ફોર-વ્હીલર સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 થી 4 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ અકસ્માત બાવળા (અમદાવાદ) પાસિંગની ઈકો ગાડી અને વડોદરા પાસિંગની અન્ય એક લક્ઝરી કાર વચ્ચે સર્જાયો હતો. સનેસ ચોકડી પાસે બંને વાહનો એટલી જોરદાર રીતે અથડાયા હતા કે ગાડીઓના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો ગાડીમાં સવાર એક વ્યક્તિએ સ્થળ પર જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને માર્ગ પસાર થતા વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલા 3 થી 4 વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાઈવે પર અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *