Latest

શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં પત્રકારોની મહત્વપૂર્ણ મિટિંગ મળી..

ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ – 10 લાખ વીમા કવચ યોજના ના ફોમ ભરવામાં આવ્યા

પૂર્વ કચ્છ જિલ્લા ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા આજરોજ ગાંધીધામ સ્થિત સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગુજરાત પત્રકાર એકતા પરિષદ રાજ્યભરમાં દસ હજારથી પણ વધુ પત્રકારોને જોડતું મોટું સંગઠન છે.

આ બેઠક દરમિયાન સંગઠન સાથે જોડાયેલા પત્રકારોને લાભ મળે તે હેતુથી રૂ. ૧૦ લાખના અકસ્માત વીમા કવચ યોજના અંતર્ગત અનેક પત્રકારોના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સમીરભાઈ જે. મહેશ્વરી, જિલ્લા કોઓર્ડિનેટર કિશોરભાઈ ધેડા, દેપેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઈ પરમાર, પ્રકાશ એમ સાધુ, વિવેકભાઈ ડુંગરખીયા, ગોવિંદભાઈ ધેડા, નવીનભાઈ અબચુંગ, અભિષેકભાઈ ક્રિશ્ચિયન, નૂરમામદભાઈ કોરેજા, ચિરાગભાઈ દેવરીયા, વિજયકુમાર માતંગ, જીતુભાઈ વજીરાણી, મીઠુભાઈ ચૌહાણ, રાણાભાઈ આહીર, કાનજીભાઈ રાઠોડ, દીપકભાઈ સૂંઢા, કિશોરસિંહ દોલતસિંહ, ખીમજીભાઈ મહેશ્વરી, ધીરુભાઈ શ્રીમાળી, ઉદયભાઈ આચાર્ય, ચંદ્રેશભાઈ બી. પટેલ, દીપકભાઈ આહીર, મોહનભાઈ મહેશ્વરી, વિશાલભાઈ મહેશ્વરી સહિતના પત્રકારો હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન જણાવાયું હતું કે જે પત્રકાર મિત્રો આ બેઠકમાં હાજર રહી શક્યા નથી તેઓ આગામી એક અઠવાડિયામાં પોતાના વીમા યોજનાના ફોર્મ ભરી જરૂરી પુરાવા દસ્તાવેજો સાથે જમા કરાવશે. ત્યારબાદ તમામ ફોર્મ ગુજરાત પત્રકાર એકતા પરિષદના મુખ્ય અધ્યક્ષશ્રીને મોકલવામાં આવશે.

આ ઉપરાંત આ બેઠક અંતર્ગત લોકભાસ્કરના વરિષ્ઠ પત્રકાર મીઠુભાઈ ચૌહાણ દ્વારા ૧૧ નિરાધાર કન્યાઓના સમૂહ લગ્ન કાર્યક્રમની કંકોત્રી પત્રકાર એકતા પરિષદ સંગઠનને અર્પણ કરવામાં આવી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *