Latest

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા સ્થાયી તબીબી મંડળની રચના કરવાનો નિર્ણય

કર્મચારીના હિતલક્ષી અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સંવેદનશીલ વહીવટ, સુશાસન અને જનકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે : પ્રફુલ પાનશેરીયા.

આંતરિક જિલ્લા ફેરબદલી અંતર્ગત પડતર મેડિકલ બોર્ડના અભિપ્રાય સંબંધિત અરજીઓના ઝડપી અને સમયબદ્ધ નિકાલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ગાંધીનગર : 14 ઑગસ્ટ 2026

રાજ્યના વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વર્ષોથી પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી  શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી  શ્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયત્નોથી અમદાવાદ સ્થિત સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા સ્થાયી તબીબી મંડળ (Medical Board) ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો તથા GSRTCના કર્મચારીઓ દ્વારા ખાસ કિસ્સામાં તબીબી કારણોસર આંતરજિલ્લા અને જિલ્લાફેર બદલી/ કક્ષા બદલીની પ્રક્રિયામાં તબીબી પ્રમાણપત્ર મેળવવા સંબંધિત રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. કર્મચારીઓની આ રજૂઆતોને હકારાત્મક રીતે ધ્યાને લઈ તેમને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા તબીબી મંડળની રચનાથી આરોગ્ય સંબંધિત તપાસ અને અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા વધુ સુગમ, ઝડપી અને પારદર્શક બનશે. જેના પરિણામે સંબંધિત કર્મચારીઓને સમયસર તબીબી અભિપ્રાય પ્રાપ્ત થશે તેમજ તેમની રજૂઆતોના નિકાલમાં પણ સરળતા રહેશે.

રાજ્ય સરકાર કર્મચારી કલ્યાણ અને સુશાસનના અભિગમ સાથે કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ વર્ગોના કર્મચારીઓની સુવિધા અને હિતને ધ્યાનમાં રાખી સતત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં લેવાયેલો આ નિર્ણય રાજ્યના હજારો વિદ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC વર્ગ 3/4 ના કર્મચારીઓ માટે લાભદાયી સાબિત થશે….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *