Latest

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંતત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી

80મા સ્વતંત્રતા દીવસ નિમીત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડા(સ્વા.)ખાતે કૉલેજના શારીરિક શિક્ષણ વિભાગ, સપ્તધારા તથા NCC , NSS વિભાગ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમની શરુઆતમાં NCC ના વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનશ્રી અને કોલેજના આચાર્યશ્રીનુ પરેડ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ ત્યાર બાદ મુખ્ય મહેમાન શ્રી અરવીંદ લાણીયા સાહેબને હસ્તે 80મા સ્વતંત્રતા દીવસ નિમીત્તે ધ્વજ ફરકાવવામા આવ્યો હતો ધ્વજારોહણ બાદ કોલેજના NCC ગૃપ દ્વારા પરેડ કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામા આપી હતી

પરેડ બાદ કાર્યક્રમના અધ્યક્ષ અને કૉલેજના આચાર્ય શ્રીડૉ હીમત સેંજળીયા સાહેબે મહેમાનનુ શાબ્દીક સ્વાગત કરીને વિદ્યાર્થીઓને સંબોધીત કર્યા હતા ત્યાર બાદ મુખ્ય મહેમાન ડૉ અરવીંદ લાણીયા સાહેબે વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રભાવના કોને કહી શકાય રાષ્ટ્ર માટે,વિકાશ માટે શુ શુ કરી શકાય વગેરે વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યુ હતુ

ધ્વજ વંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કોલેજના વિદ્યાર્થીઓ એ વિવિધ દેશભક્તિની કૃતિઓ રજુ કરી હતી અને ખુબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના અંતે શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ ચંદ્રકાન્ત ગોહેલે આભાર વિધી કરી હતી સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રીના મર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ વિભાગ, સ્પોર્ટસ સમીતિ,સપ્તધારા તેમજ NCC, NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *