Breaking NewsLatest

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમા દાખલ થનાર દર્દીની સાથે તેમના સ્વજનો પણ આવતા હોય છે. તેમના પરિવારજનોની ચિંતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમા હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. કોરોનગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપ્ન કરવામાં આવ્યું છે.
હેલ્પ ડેસ્ક પરથી દર્દીની સ્વાસ્થય સંબધી તમામ માહિતી પરિવારજનોને મળી રહે તે માટે ઓડિયો અને વિડિયો કોલિંગ દ્વારા વાતચીત પણ કરાવવામાં આવે છે. અનેક દાતાઓ અને સેવાભાવી સંગઠનો, સંસ્થાઓ દ્વારા દરરોજ અહી આવીને સ્વૈચ્છિક રીતે પોતાના સ્વખર્ચે દ્વારા નાસ્તો,પાણીની બોટલો અને જમવાનું દર્દીના સ્વજનોને આપવા માટે આવે છે. અને તેઓ માત્ર સેવા ભાવનાની મદદથી જ આ કાર્યમા જોડાઈને દર્દીના સગાવ્હાલાઓનો જઠરાગ્નિ ઠારવાનું માનવતાનું કાર્ય કરે છે .
આજે એક સેવાભાવી વ્યક્તિ તરફથી ૨૭૦ જેટલાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ, જેનું સંચાલન અને વ્યવસ્થાપન અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા કરાયુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *