અમદાવાદ: ભારત સરકારે જુનિયર ડિવિઝન/ જુનિયર વિંગ કેડેટ્સ માટે સંપૂર્ણ સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ ગુજરાત નિદેશાલય માટે વધારાની 3721 જગ્યાની ફાળવણી કરી છે. આનાથી ખાનગી શાળાઓના એવા તમામ વિદ્યાર્થીઓને લાભ થશે જેઓ મર્યાદિત બેઠકોના કારણે NCCમાં જોડાવાની પ્રતીક્ષામાં છે. આ જગ્યાઓની વિવિધ યુનિટ્સમાં રસ ધરાવતી શાળાઓમાં વહેંચણી કરવામાં આવશે. આ કેડેટ્સને સ્ટ્રક્ચર્ડ મિલિટરી તાલીમ આપવામાં આવશે અને તેઓ શિબિર, વિવિધ સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ અને સૌથી પ્રતિષ્ઠિત એવી નવી દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ શિબિરમાં પણ ભાગ લઇ શકશે. આ કેડેટ્સ શાળાઓમાં તેમની NCCની તેમની તાલીમ પૂરી કર્યા પછી ‘A’ અને ‘B’ પ્રમાણપત્ર માટે પાત્રતા ધરાવશે અને તેનાથી સશસ્ત્ર દળોમાં જોડાવામાં પણ તેમને મદદ મળી રહેશે. ગુજરાત NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું હતું કે, ખાનગી શાળાઓ માટે આ પરિવર્તનકારી નિર્ણય છે. આ બેઠકો લેવામાં રસ ધરાવતી તમામ શાળાઓ તેમની નજીકના NCC યુનિટનો સંપર્ક કરી શકે છે.
સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી
Related Posts
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
બોટાદ જીલ્લાના ૭૦ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત બોટાદ જિલ્લાની પ્રજાએ…
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ
જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે 'વિશ્વ ચકલી…
જિલ્લાના પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
દુકાન માલિકોને સ્વચ્છતા, હાઈજેનિક કન્ડિશનનું પાલન કરવા સૂચના આપવામાં આવી અમરેલી…
















