Breaking NewsLatest

તાઉ’તે વાવાઝોડા સમયે ધંધુકાની સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે આવી..સંસ્થા અને સ્થાનિક લોકોએ માનવીય અભિગમ દાખવ્યો

અચાનક આવી પડેલી કુદરતી આફત એટલે તાઉ-તે વાવાઝોડું. ૧૭ અને ૧૮ મે – બે દિવસ સુધી વાવાઝોડાની તીવ્ર અસર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામા જોવા મળી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ધંધુકા શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૧૩૮૯ જેટલા અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને સલામત જગ્યાએ રહેવા – જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ધંધુકા ખાતે ૩ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા હતા. જેમાં ધંધુકાની મોર્ડન હાઇસ્કુલ, સોસાયટી પ્રાથમિક શાળા, અને કુમાર શાળામાં ૩૦૩ લોકોને શીફ્ટ કરવામાં આવ્યા હતા.
શેલ્ટર હોમમાં રાખાયેલ લોકો માટે ધંધુકાની જન કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફ્થી બંને દિવસ સુધી જમવાનું બનાવીને આપવામાં આવ્યું હતું. તથા ધંધુકા રેલ્વે સ્ટેશન પર કામ કરતા ૯૦ જેટલા શ્રમિકો માટે નજીકમા આવેલી સથવારા સોસાયટીના યુવા ગૃપના યુવાનો, સ્થાનિક દુકાનદારો તરફથી સુકો નાસ્તો, પાણી,અને જમવાની સગવડતાઓ ઉભી કરવામાં આવી હતી. તમામ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા ધંધુકા મામલતદાર કચેરી તરફથી પુરી પાડવામાં આવી હતી.
ધંધુકાના ગ્રામ્ય વિસ્તારોમા રહેલા અસરગ્રસ્તો માટે સરપંચ અને તલાટી તરફથી રહેવા સાથે જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *