Local Issues

એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ

કાયમી ડોક્ટરો ની નિમણુંક કે પછી દર્દીઓની રઝળપાટ પાછી શરૂ થશે ??

ગીર વિસ્તાર ના ગામડાઓથી ધારી શહેર કે જ્યાં ખખડધજ બિલ્ડીંગ ની જગ્યાએ અદ્યતન સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી અને જરૂરી પાયાની પ્રાથમિક સારવાર ઉપલબ્ધ શરૂ કરવામાં આવી.

ડો. અમીત રાઠોડ, ડો. સાવલીયા , ડો. રંગપરીયા સહીત નર્સિંગ વિવેકી સ્ટાફ દ્વારા વખાણવા લાયક આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી . તાલુકા ભરના હજારો લોકો માટે આશાનું કિરણ બની ધારી ની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓનો ધસારો વધવા લાગેલ. ગરીબ જરૂરીયાત મંદ દર્દીઓને ઉચ્ચ સારવાર મફતમાં મળવા લાગી.

સભર્ગા મહીલાઓની નોર્મલ તેમજ સીઝર સારવાર ઉપલબ્ધ કરવામાં આવી. પરંતુ આખરે સિવિલ હોસ્પિટલ નું અદ્યતન સુવિધાઓ સજ્જ બિલ્ડીંગ ફરી પાછું ડોક્ટરો વિહોણું બની જવાને આરે પહોંચી ગયેલ છે.
ડો. સાવલીયા એ ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે થી રાજીનામું આપી પોતાની પ્રાઈવેટ હોસ્પિટલ ગયકાલે શરૂ કરેલ છે.

આપસહુ આ સમાચાર વાંચી રહેલ હશો જત્યારે ડો. રંગપરીયા પણ પોતાના બોન્ડ પુરા થતા ચાલ્યા ગયા હશે. જ્યારે છેલ્લા એકાદ વર્ષ દરમિયાન અનેક જીંદગી ને બચાવનાર , અનેક સભર્ગા મહીલાઓને નોર્મલ તેમજ સીઝર સારવાર આપનાર ડો. અમીત રાઠોડ પણ ૧૮/૦૬/૨૦૨૬ ના રોજ આ સિવિલ હોસ્પિટલ ને છોડી જવાના છે.

ત્યારે ધારી સિવિલ હોસ્પિટલ માં ખાલી પડેલી જગ્યાઓ પુરાશે કે પછી ભુતકાળ ના દિવસો નું પુનરાવર્તન ગરીબ લાભાર્થીઓ થવાનું હશે.
સિવિલ હોસ્પિટલ ને ડોક્ટરો વિહોણું ન જોવા માંગતા જાગૃત નાગરિકો, સામાજિક સંસ્થાઓ ના આગેવાનો, સત્તાસ્થાને બેઠેલા ચુંટાયેલા પ્રતિનિધિઓ, વિરોધ પક્ષ સાથે જોડાયેલા આગેવાનો સિવિલ હોસ્પિટલ મુદ્દે ઉચ્ચ રજુઆત કરશે કે પછી ચુંટણી સમયે મતદારો ને રિઝવવા માટે ચુંટણી પુરતા દેખાશે તેવા વેધક સવાલો લોકો કરી રહેલા છે.

ઉલ્લેખનીય છે કે અદ્યતન સિવિલ હોસ્પિટલ માં ડાયાલિસિસ સારવાર, બ્લડ સ્ટોરેજ સુવિધા, એકસરે સુવિધા સહિત વિવિધ માંગણીઓ કરવામાં આવી રહેલ હતી એવા સમયે એકજ સપ્તાહમાં એક પછી એક ત્રણ ત્રણ ડોક્ટરો ની જગ્યાઓ જ્યારે ખાલી થય રહેલ છે ત્યારે પ્રજા વત્સલ નેતાઓ, નાગરીકો ના હક માટે ઉચ્ચ રજુઆત કરશે કે પછી વિકાસ રૂપી બણગાં ઓ ફોડી ને પ્રજાના સાચાં સેવક તરીકે નો રાજધર્મ અપનાવશે ?

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.

R.T.I એક્ટ હેઠળ જા.માં.અધિકારી એ અરજદાર ને સાચી માહિતી આપવી પડે ,ત્યારે સરકારી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ

હોર શહેર ભાજપ માં હાલ માં જે ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો છે જેમાં…

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *