ગત તારીખ ૮ જુનની મોડી રાત્રે અમદાવાદ ખાતે બોપલ વિસ્તારમાં આવેલ અક્ષર લકઝુરિયા ફ્લેટના ચોથા માળેથી પટકાયને તેમનું મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે જે ખરેખર સત્ય હકીકત ન હોય અને આ મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ હોવાની પૂરે પૂરી શંકા છે જે બાબત તપાસ થવી જરૂરી છે.
બનાવની વિગત મુજબ ૮ જુનની મોડી રાત્રે સમાચાર વહેતા થાય છે કે મહાવીરસિંહ સિંધવે પોલીસથી બચવા પોતાના રહેણાંકી મકાન ફલેટના ચોથા માળેથી છલાંગ લાગવી જેના લીધે તેઓ મૃત્યુ પામ્યા છે પરંતુ આ સમાચાર મળતા જ સમાજમાં એક જ વાત ફેલાઈ છે કે મહાવીરસિંહ ક્યારેય પોલીસથી ભાગે નહીં કેમ કે એ એક વીર અને બહાદુર વ્યક્તિ હતા અગાઉ પણ જ્યારે જ્યારે તેમના વિરુદ્ધ રાજકીય ષડયંતના ભાગરૂપે પોલીસ કેસ થયેલ ત્યારે ત્યારે તેઓ ક્યારેય પોલીસથી ભાગ્યા નથી પરંતુ પોતે ન્યાયતંત્ર પર ભરોસો રાખી ને સામે ચાલીને હાજર થયેલ છે તેમજ તેઓ પોતે નાનપણથી દેશ ભક્ત હતા તેમજ દેશ સેવા કાજે ભારતીય સેનામાં ફરજ પણ બજાવી ચૂક્યા છે.
તેઓમાં પહેલેથી દેશ ભક્તિ રહેલી હતી અને તેઓ દ્વારા પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ મારફત પોતાના ગામથી શરૂ કરીને સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય તેમજ રાષ્ટ્ર ભ્રષ્ટાચાર મુક્ત બને એવી એમની ઇચ્છાવૃતિ રહેલી હતી તેઓ સાચા અર્થમાં દેશભક્ત હતા તેઓ દ્વારા અનેક જનસેવાના કર્યો કરવામાં આવેલ છે તેઓની લોકપ્રિયતા સુરેન્દ્રનગર વિસ્તારમાં ખૂબજ ફેલાયેલ હતી જે તેમની સેવાકીય પ્રવૃત્તિઓના લીધે જ હતી ત્યારે તેમની સાથે બનેલા અઘટિત બનાવ બાબત બોપલ પોલીસ દ્વારા તેમને અજાણ્યા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવે છે જે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ અને રાજકીય ષડયંત્રનો ભાગ લાગી રહ્યો છે તેમજ બનાવ સમયે ત્યાં હાજર એવા એક વ્યક્તિ જેનું નામ જિગ્નેશ ભટ્ટી છે.તે વ્યકિત તે દિવસ થી ગુમ છે.તે પણ શંકાસ્પદ વ્યક્તિ છે તેમને શોધવાનું કે તેમનું નિવેદન લેવાની પણ પોલીસે જરા પણ તસ્દી લીધેલ નથી તે પણ શંકાસ્પદ છે તમેજ બનાવ સ્થેળને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવેલ નથી તેમજ આ બાબત કોઈપણ જાતની તપાસ કરવાની તસ્દી લેવામાં આવેલ નથી જે સંપૂર્ણપણે શંકાસ્પદ વિષય છે.
ત્યારે અમો સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ ભાવનગર તેમજ ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની માંગણી છે કે આ બાબત સીબીઆઈ તપાસ કરવામાં આવે અને આ બનાવ પાછળનું સંપુર્ણ સત્ય સામે લાવવામાં આવે અને મહાવિરસિંહ ને યોગ્ય ન્યાય મળે એવી અમારી માગણી છે.
આ તકે ક્ષત્રિય કરણીસેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી તથા ભાવનગર જીલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા ભાવનગર શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર તથા શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ રાષ્ટ્રીય સોશીયલ મિડીયા પ્રભારી વિજયસિંહ પરમાર તથા રાજપૂત સમાજ ના યુવાનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
















