Latest

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

મુખ્યમંત્રી ને લેખિત મૌખિક રજુઆતો કરવા સોમવારે પ્રતિનિધિ મંડળ પહોંચશે

અમરેલી જિલ્લા ના ધારાસભ્યો પણ સાથે જોડાઈ મુખ્યમંત્રી ને રજુઆત કરશે

લાખો લોકો માટે ઉપયોગી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી, ધારી-ચલાલા-વિસાવદર ના પ્રતિષ્ઠિત આગેવાનો આગામી તારીખ ૦૬/૦૭/૨૦૨૬ સોમવારે બપોરે રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને રૂબરૂ રજુઆત કરવા માટે પહોંચશે. આ વેળાએ રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક ભાઈ વેકરીયા, ધારાસભ્ય જેવી કાકડીયા, હીરા ભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા ની સાથોસાથ કિસાન મોરચાના પ્રમુખ હીરેન ભાઈ હીરપરા તેમજ આદરણીય શિક્ષક શાંતિલાલ પરમાર ખાસ હાજરી આપી ને અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે ની યોગ્ય રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા કરવામાં આવે તો ચલાલા, ધારી, વિસાવદર વિસ્તાર ના લાખો લોકો ને મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળશે અને આ સુવિધા થી વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. આ વિસ્તારના લાખો લોકો સુરત અમદાવાદ વડોદરા મુંબઈ જેવા શહેરો સાથે વેપાર થી સંકળાયેલા છે ત્યારે બ્રોડગેજ નાં માધ્યમથી મુસાફરી ની સાથોસાથ પરિવહન ને પણ વેગ મળશે. આંબરડી સફારી પાર્ક, ગળધરા ખોડીયાર મંદિર, સતાધાર, પરબધામ તેમજ ગીર જંગલ ના પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે અને પર્યટન સ્થળો નો વિકાસ થશે.

નોંધનીય છે કે મિશન બ્રોડગેજ અંતર્ગત ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં ધારી ચલાલા વિસાવદર ની જાહેર જનતા, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, ચુંટાયેલા રાજકીય આગેવાનો પણ આ અભિયાન માં જોડાયેલા છે. ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ની રૂબરૂ મુલાકાત લયને લેખિત મૌખિક રજુઆતો કરીને વહેલાં માં વહેલી તકે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સંતોષવામાં આવે તેવી આશાઓ ધારી પત્રકાર સંઘે વ્યક્ત કરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *