Breaking NewsLatest

વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપીલ

જામનગર: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરીદ્વાર દ્વારા ઘોષિત કાર્યક્રમ ‘ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ’ નું આવતીકાલે તા. ૨૬/૫, બુધવારના, બુધ્ધ પૂર્ણિમાના દિવસે એકજ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ કલ્યાણની ભાવનાથી, રોગ મુકત તથા પાવન વાતાવરણ બને, લોકો પુનઃ વૈદિક સંસ્કૃતિ તરફ વળે, એવા શુભ ઉદેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થનાર છે.

ગાયનું છાણુ, ગાયનું ઘી અને જડીબુટ્ટીની હવન સામગ્રી દ્વારા યજ્ઞ કરવાથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં રહેલા રોગના કીટાણુઓ નાશ પામે છે એવું હાલ આધુનિક વિજ્ઞાન પણ સ્વિકારે છે ત્યારે જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા એક આયોજન મુજબ ૨૪,૦૦૦ ઘરોમાં આ ગાયત્રી યજ્ઞ થાયન તે માટેની ઉપર મુજબની જરૂરી સામગ્રી કીટનું વિતરણ શહેરમાં ૨૪ કેન્દ્રો દ્વારા લોકોને વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.તેમજ હજુ કોઈ પરિવાર આ હવન અંગેની કીટ મેળવવામાં બાકી રહી ગયેલ હોય તો ગાયત્રી શક્તિપીઠ પરથી મેળવી આવતી કાલે આ અભિયાનના સહભાગી બની પોતાના ઘરનું તથા સમગ્ર જામનગરનું વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં યજ્ઞ કરવા જામનગરની જાહેર જનતાને રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *