bhavnagar

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

શુ ધારાસભ્યનું વિધાનસભામાં કંઈ ઉપજતું નથી કે કેમ

28 ગામો અને 14 સબ સેન્ટરનું કેન્દ્ર હોવા છતાં રાત્રિ આરોગ્ય સેવાનો અભાવ;

24×7 અને વાસ્તવમાં ક્યારે કાર્યરત થશે? વિસ્તારના દર્દીઓમાં ઉઠતો સવાલ

રંઘોળા: ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાઈટ શિફ્ટ માટે પૂરતો સ્ટાફ ફાળવવામાં તંત્રની ઉદાસીનતા સામે હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 28 ગામો અને 14 સબ સેન્ટરનો વ્યાપ ધરાવતા રંઘોળા PHCને 24×7 આરોગ્ય સેવા તરીકે દર્શાવવામાં આવે, પરંતુ વાસ્તવમાં આ સેવા ક્યારે સંપૂર્ણ રીતે કાર્યરત થશે અને PHCને જરૂરી પૂરતો તબીબી તથા પેરામેડિકલ સ્ટાફ ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી.

રંઘોળા સહિત આસપાસના 15થી વધુ ગામોના લોકોને રાત્રિના સમયે આરોગ્ય સેવા મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે તબીબી સારવારની જરૂરિયાત ઊભી થાય ત્યારે દર્દીઓને દૂર સિહોર અથવા ભાવનગર તરફ જવાની ફરજ પડે છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આ પરિસ્થિતિ ગંભીર મુશ્કેલીરૂપ બની રહી છે.

NH-51 પર આવેલા રંઘોળાને 24×7 આરોગ્ય સેવાનો લાભ ક્યારે?

રંઘોળા ગામ NH-51ના રાજકોટ-ભાવનગર તેમજ અમરેલી-અમદાવાદ તરફના મહત્વના માર્ગો સાથે જોડાયેલું હોવાથી અહીં વાહનવ્યવહાર સતત રહે છે. આ વિસ્તારમાં સ્થાનિક વસવાટ પણ મોટો છે અને અવારનવાર માર્ગ અકસ્માતો સર્જાતા હોવાના કારણે પ્રાથમિક સારવાર તથા ઈમરજન્સી તબીબી સેવા માટે નજીકમાં સક્ષમ આરોગ્ય કેન્દ્ર હોવું અત્યંત જરૂરી બન્યું છે.

અકસ્મિક પરિસ્થિતિમાં પ્રથમ તબક્કાની સારવાર સમયસર મળી રહે તો દર્દીને ગંભીર સ્થિતિમાંથી બચાવવામાં મદદ મળી શકે છે. તેમ છતાં રંઘોળા PHCમાં રાત્રિ સેવા માટે જરૂરી સ્ટાફની અછત કેમ દૂર કરવામાં આવતી નથી તેવો સવાલ હવે સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

*નજીકના ઢસા અને સોનગઢમાં 24×7 સેવા તો રંઘોળા સાથે અન્યાય કેમ?*

સ્થાનિકોનું કહેવું છે કે નજીકના ઢસા ખાતે 24×7 PHC સેવા કાર્યરત છે તેમજ સોનગઢ ખાતે પણ 24×7 આરોગ્ય સેવા ઉપલબ્ધ છે. ત્યારે 28 ગામો અને 14 સબ સેન્ટરનો વ્યાપ ધરાવતા રંઘોળા PHCને જરૂરી સ્ટાફ અને રાત્રિ સેવા બાબતે કેમ વંચિત રાખવામાં આવે છે તેવો પ્રશ્ન તંત્ર સમક્ષ ઉભો થયો છે. રંઘોળા PHCને માત્ર 24×7 દર્શાવવાને બદલે વાસ્તવિક રીતે ચોવીસ કલાક કાર્યરત બનાવવા માટે તાત્કાલિક ધોરણે જરૂરી તબીબી અને પેરામેડિકલ સ્ટાફની ફાળવણી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડીયા એક વખત જમીની હકીકત જોવા રંઘોળા આવે તેવી માંગ સ્થાનિકોએ વિસ્તારના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડીયા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ રંઘોળા PHCની વાસ્તવિક સ્થિતિની સ્થળ મુલાકાત લેવા અપીલ કરી છે. મતદારો અને કાર્યકરો વસવાટ કરતા આ વિસ્તારમાં રાત્રિના સમયે આરોગ્ય સેવા માટે લોકોની હાલાકી શું છે તેની જાતે મુલાકાત લઈ હકીકત જાણે અને સરકાર સમક્ષ રંઘોળા PHCમાં પૂરતો સ્ટાફ ફાળવવાની રજૂઆત કરે તેવી લોકમાંગ ઉઠી છે. રંઘોળા PHCને 24×7 સેવા માટે જરૂરી સ્ટાફ ક્યારે મળશે અને રાત્રિના સમયે દર્દીઓને સ્થાનિક સ્તરે તાત્કાલિક આરોગ્ય સેવા ક્યારે મળશે?—હવે આ સવાલનો જવાબ આરોગ્ય તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આપવાનો સમય આવ્યો છે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *