Breaking NewsLatest

સલામ છે… DYSP પ્રદીપસિંહ જાડેજા ને…

પ્રદીપસિંહ જાડેજા એક એવા અધિકારી કે જેણે સેવાનો ભેખ ધારણ કરી લીધો છે. અને એટલે જ આજે સોરઠના લોકો કહે છે, મુશ્કેલી કોઈ પણ હોય અમારો અડધી રાતનો હોંકારો એટલે Dysp પ્રદીપસિંહ જાડેજા.

કોઈ નાની કેબિન ચલાવતો હોય અને આ મહામારીના સમયમાં તાવડી ટેકો લઇ જાય તેમ હોય તો પણ તેઓ નિરાધારનો આધાર બનીને ઉભા રહ્યાં છે.

કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પોતાના બાળકને સારુ શિક્ષણ આપવા ફી ભરી શકે તેમ ન હોય તો પણ આ અધિકારીએ તેની અડધી રાત્રે વ્યવસ્થા કરી છે અથવા કરાવી છે.

હાલ તાજેતરની જ વાત કરુ તો એક પરિવારના મોભી કેન્સર સામે જંગ હારી જતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. સ્થિતિ એવી બની કે, 11 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીને આગળ અભ્યાસ કેવી રીતે કરાવવો.

બહેનના આગળના ભવિષ્યની ચિંતામાં મોટા ભાઈની પણ ઉંઘ હરામ થઈ ગઇ. જો કે અંતે પરિવર્તન કરિયર એકેડમી રાજકોટના Karshan Gadhavi એ દીકરી અને ભાઈને સાથે લઇ તાબડતોડ જૂનાગઢ પહોંચ્યા અને Dysp પ્રદીપસિંહ જાડેજાને મળ્યાં.

પરિવાર પર આવી પડેલી આખી ઘટના વર્ણવતા આ અધિકારીની આંખ પણ ભીની થઈ ગઇ. બાદમાં તુરંત જ જ્યાં આ દીકરી અભ્યાસ કરતી હતી તે સ્કૂલનો સંપર્ક કરી 2 વર્ષની કુલ રૂ.1.72 લાખ ફીમાંથી રૂ.1.22 લાખ માફ કરાવી દીકરીના આગળના અભ્યાસની વ્યવસ્થા કરાવી.

કદાચ જો આ પરિવારને Dysp પ્રદીપસિંહ જાડેજાનો સહકાર ન મળ્યો હોત તો એ અભ્યાસુ દીકરીને અભ્યાસથી અળગા કરવાની ફરજ પડી હોત.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *