અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ઐતિહાસીક ઘટનાનું સાક્ષી બન્યું છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરા બાદ અમદાવાદની પાંજરાપોળમાં ગૌ માતા અને નંદીજી મહારાજ માટે 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 7 હજાર રોટલીનું જમણ પીરસાયું છે.
આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખભાઇ પટેલ, શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ ઠક્કર, જીયાબેન શૈલેષભાઇ પરમાર અને ‘શ્રવણ’ યોગદિપસિંહ જાડેજા જોડાયા છે. નિરવ ઠક્કરનું કહેવું છે કે, આ સિઝનમાં સંસ્થા દ્વારા કુલ મળીને 10 હજાર કિલો કેરીનો રસ અને હજારોની સંખ્યામાં રોટલી ગૌ માતા-નંદીજી મહારાજને પીરસાયા છે.
આપણી એક પેઢી ગૌ માતા માટે રોજ પહેલા જમવાનું કાઢતી હતી. પરંતુ સમય જતા તે બધુ ભુલાયું છે. સંસ્થા લોકોને ગૌ સેવા માટે જોડાવા અને લોકોમાં ગૌ સેવાના સંસ્કારો જાગૃત અને જીવંત રાખવા વિતેલા ત્રણ વર્ષોથી પ્રયત્નો કરી રહી છે.