Ahmedabad

અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું ગૌ માતા- નંદીજી માટે 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 7 હજાર રોટલી પીરસાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ઐતિહાસીક ઘટનાનું સાક્ષી બન્યું છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરા બાદ અમદાવાદની પાંજરાપોળમાં ગૌ માતા અને નંદીજી મહારાજ માટે 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 7 હજાર રોટલીનું જમણ પીરસાયું છે.

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખભાઇ પટેલ, શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ ઠક્કર, જીયાબેન શૈલેષભાઇ પરમાર અને ‘શ્રવણ’ યોગદિપસિંહ જાડેજા જોડાયા છે. નિરવ ઠક્કરનું કહેવું છે કે, આ સિઝનમાં સંસ્થા દ્વારા કુલ મળીને 10 હજાર કિલો કેરીનો રસ અને હજારોની સંખ્યામાં રોટલી ગૌ માતા-નંદીજી મહારાજને પીરસાયા છે.

આપણી એક પેઢી ગૌ માતા માટે રોજ પહેલા જમવાનું કાઢતી હતી. પરંતુ સમય જતા તે બધુ ભુલાયું છે. સંસ્થા લોકોને ગૌ સેવા માટે જોડાવા અને લોકોમાં ગૌ સેવાના સંસ્કારો જાગૃત અને જીવંત રાખવા વિતેલા ત્રણ વર્ષોથી પ્રયત્નો કરી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજાયો

ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી એક ઘટનામાં અમદાવાદ…

1 of 28

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *