Ahmedabad

અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું ગૌ માતા- નંદીજી માટે 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 7 હજાર રોટલી પીરસાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ઐતિહાસીક ઘટનાનું સાક્ષી બન્યું છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરા બાદ અમદાવાદની પાંજરાપોળમાં ગૌ માતા અને નંદીજી મહારાજ માટે 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 7 હજાર રોટલીનું જમણ પીરસાયું છે.

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખભાઇ પટેલ, શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ ઠક્કર, જીયાબેન શૈલેષભાઇ પરમાર અને ‘શ્રવણ’ યોગદિપસિંહ જાડેજા જોડાયા છે. નિરવ ઠક્કરનું કહેવું છે કે, આ સિઝનમાં સંસ્થા દ્વારા કુલ મળીને 10 હજાર કિલો કેરીનો રસ અને હજારોની સંખ્યામાં રોટલી ગૌ માતા-નંદીજી મહારાજને પીરસાયા છે.

આપણી એક પેઢી ગૌ માતા માટે રોજ પહેલા જમવાનું કાઢતી હતી. પરંતુ સમય જતા તે બધુ ભુલાયું છે. સંસ્થા લોકોને ગૌ સેવા માટે જોડાવા અને લોકોમાં ગૌ સેવાના સંસ્કારો જાગૃત અને જીવંત રાખવા વિતેલા ત્રણ વર્ષોથી પ્રયત્નો કરી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *