અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સબંધ ના રાખતા 2 આરોપીએ મહિલાની હત્યા કરી, રામોલમાં અશોક પટેલ નામના શખ્સ ની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે.
આ બનાવની વિગત જોઈએ તો આરોપી અને મૃતક 2014થી પરિચયમાં હતા અને અગાઉ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા,અશોક ફરીયાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા તથા પોતાની સાથે સંબંધ રાખવા તથા તેના છોકરાઓને ઉપાડી તથા જાન મારી નાખવાની ધમકી આપતા હતા
જેથી ફરીયાદીની પત્ની આરોપીના દબાણવશ થઈ આરોપી સાથે વાતચીત કરતા હતા અને આરોપી અવાર નવાર ફરીયાદીની પત્ની સાથે તથા ફરીયાદી સાથે મારપીટ તથા બોલાચાલી ઝગડો કરતો હતો ફરીયાદી ના પત્નીને આરોપી સાથે કોઇ સબંધ રાખવો ન હોય જેની અદાવત રાખી રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ ફરીયાદીના પત્ની મરણજનાર અંકિતાબેન પ્રજાપતી ને ઘરે જઈને છરીના ઘા ઝીંકી દીધા હતા બનાવ ની જાણ રામોલ પોલીસ ને થતાં તાત્કાલિક ધોરણે આરોપીઓ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તેવું એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું.