Latest

પંચમહાલના ઘોઘંબા ખાતે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

ગોધરા, વી.આર. એબીએનએસ,
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા સરકારી આઇ.ટી.આઇ, ઘોઘંબા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાની ૦૯ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી કુલ ૪૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંતભાઇ રાણા અને ઇમ્પેક્ષ-બી કરિયર કાઉન્સેલર રાકેશભાઈ સેવક દ્વારા ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશીપ યોજના, એપ્રન્ટીસ માર્ગદર્શન અને રોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૭૦ જેટલાં હાજર મહિલા અને પુરુષ ઉમેદવારો પૈકી ૪૨ ઉમેદવારોની ૦૯ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *