Ahmedabad

32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના

અમદાવાદ, સંજીવ રાજપૂત: 32માં વર્ષે સતત નિરંતર માં અંબાના ધામે વ્યાસવાડી નવાવાડજ સંઘ 52 ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના થયો હતો.

માં આરાસુરી અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે ભાદરવી પુનમનો મહામેળો એટલે ભક્તિ અને અસ્થાનો સમન્વય. માઈ ભક્તો દૂર દૂરથી ચાલીને કે અન્ય રીતે પોતાની માનતાઓ, બાધાઓ અને માં અંબાના આશીર્વાદ લેવા દેશભરમાંથી અંબાજી ઉમટી પડે છે ત્યારે

અમદાવાદના વ્યાસવાડી નવાવાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ સતત 32માં વર્ષે 52 ગજની ધજા સાથે પગપાળા માં અંબાના દર્શને જવા રવાના થયો. આશરે 100 ઉપર મહિલાઓ સહિત લોકો આ સંઘમાં જોડાયા છે.

વહેલી સવારે વ્યાસવાડી ચાર રસ્તા ઉપર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી અને 52 ગજની ધજાને ભક્તોના દર્શન અર્થે ખોલવામાં આવી. ત્યાર બાદ આ રથ અને ધજા કુંતા પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરતા ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂજા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તો થોડા દિવસો અગાઉ જ અવસાન પામેલ આ સંઘના મુખ્ય એવા સ્વર્ગસ્થ શૈલેષભાઇ સોનીને 2 મિનિટના માં અંબેના ઘોષ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અને ત્યાર બાદ સંઘ અંબાજી જવા રવાના થયો હતો. 31ને રવિવારના રોજ માં આ સંઘ દ્વારા માં અંબાને ધ્વજારોહણ કરવામાં આવશે તેવું આશિષ ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. માં અંબા તમામ માઇભક્તોની મનોકામના પૂર્ણ કરે જય અંબે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *