bhavnagar

નિર્દોષ લોકો પર હુમલો કરનાર ગાય ને આખરે પકડી લેવાઈ

કોર્પોરેશન અને પ્રેરણા ફાઉન્ડેશન ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન સફળ રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ભાવનગર તા.20/6/2025
ગઈકાલે ભાવનગર ના તળાજા રોડ ટોપથ્રી સર્કલ નજીક સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, મીરાનગર, શિવપાર્વતી સોસાયટી અને શ્રી વલ્લભ રેસીડેન્સી સહિત અંદાજે આઠ સોસાયટીમાં તોફાન મચાવી 2 દિવસમાં 12 જેટલા નિર્દોષ લોકોને ઘાયલ કર્યા હતા.

જેમાંથી બે ને ગંભીર ઇજાઓ થવા પામતા હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતા. એક મહિલા ઉપર આ ગાયે કરેલો વીડિયો વાયરલ થતા લોકો હચમચી ગયા હતા. આ ગાય આખરે પકડાય ગઈ હતી.

આ ગાય ને આજે સવારે કોર્પોરેશન ના પશુ નિયંત્રણ વિભાગ અને પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ અગિયાળી ટિમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડવામાં આવેલ છે. આ ઓપરેશન દરમિયાન વેટરનરી ડોક્ટર, જીવદયા પ્રેમીઓ અને પોલીસ સ્ટાફ પણ કામગીરી જોડાયો હતો.

ગાયમાં હડકવાના લક્ષણો જણાતા ન હોઈ ગાય ને રિહેબ માટે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ – અગિયાળી ખાતે ખસેડવામા આવી છે.
ગાયના ત્રાસમાંથી મુક્તિ મળતા સ્થાનિક લોકો એ રાહત અનુભવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા…

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા પાલીતાણા સિન્ધી સમાજ…

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

1 of 67

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *