bhavnagar

નિર્દોષ લોકો પર હુમલો કરનાર ગાય ને આખરે પકડી લેવાઈ

કોર્પોરેશન અને પ્રેરણા ફાઉન્ડેશન ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન સફળ રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ભાવનગર તા.20/6/2025
ગઈકાલે ભાવનગર ના તળાજા રોડ ટોપથ્રી સર્કલ નજીક સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, મીરાનગર, શિવપાર્વતી સોસાયટી અને શ્રી વલ્લભ રેસીડેન્સી સહિત અંદાજે આઠ સોસાયટીમાં તોફાન મચાવી 2 દિવસમાં 12 જેટલા નિર્દોષ લોકોને ઘાયલ કર્યા હતા.

જેમાંથી બે ને ગંભીર ઇજાઓ થવા પામતા હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતા. એક મહિલા ઉપર આ ગાયે કરેલો વીડિયો વાયરલ થતા લોકો હચમચી ગયા હતા. આ ગાય આખરે પકડાય ગઈ હતી.

આ ગાય ને આજે સવારે કોર્પોરેશન ના પશુ નિયંત્રણ વિભાગ અને પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ અગિયાળી ટિમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડવામાં આવેલ છે. આ ઓપરેશન દરમિયાન વેટરનરી ડોક્ટર, જીવદયા પ્રેમીઓ અને પોલીસ સ્ટાફ પણ કામગીરી જોડાયો હતો.

ગાયમાં હડકવાના લક્ષણો જણાતા ન હોઈ ગાય ને રિહેબ માટે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ – અગિયાળી ખાતે ખસેડવામા આવી છે.
ગાયના ત્રાસમાંથી મુક્તિ મળતા સ્થાનિક લોકો એ રાહત અનુભવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *