bhavnagar

પવિત્ર તીર્થ નગરી પાલિતાણા માં પીવાનું પાણી દૂષિત વિતરણ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ

પાલીતાણા દૂષિત પાણી આમતો પવિત્ર તીર્થ નગરી પાલિતાણા નગરપાલિકા ને અ વર્ગની જાહેરાત કરવામાં આવી છે પરંતુ જેવી ઉપમા આપી છે તેવા નગરપાલિકા માં ગુણ નથી રહિયા નગરપાલિકાની પાસે ફિલ્ટર હોવા છતાં ફિલ્ટર ઉયુક્ત પાણી લોકોને નથી મળી રહ્યું જેને કારણે લોકો ના આરોગ્ય પર અસર જોવા મળી રહી છે પાણી ડોળું આવતા લોકો ને તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટી થવાના કેસ પણ સામે આવી રહિયા છે લોકોને ફિલ્ટર યુક્ત પાણી ક્યારે નગરપાલિકા આપશે તે એક મોટો પ્રશ્ન.? છે

પાલીતાણાના વૉર્ડ નં, 3 માં પીવાનું પાણી દૂષિત અને અનિયમિત આપવામાં આવતા અહીંના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પરંતુ નગરપાલિકાના પેટનું પાણી નથી હાલતું અહીં સમસ્યા એવી ઊભી થઈ છે,કે લોકોને હવે ઘર વપરાશ માટે જો પાણી જોઈતું હોય તો પૂરો દિવસ ઘરે બેસીને પોતાના કામ ધંધા છોડીને પાણીના નળ સમક્ષ તાકી રહેવું પડશે કારણ કે અહીં પાણી આપવાનો કોઈ પણ સમય નક્કી નથી કારણકે અહીંના વાલમેનો પોતાને સમય હોય ત્યારે પાણી આપે છે જેના કારણે અહીં રામરાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે

પાલીતાણા નગરપાલિકામાં આવતા વોર્ડ નંબર. 3,ના મહિલાઓનું કહેવું છે કે વહેલામાં વહેલી તકે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ અહીં નગરપાલિકા દ્વારા પાણીનો કોઈ પણ એક સમય ફિક્સ કરવામાં આવે જેના કારણે કામ ધંધો તેમજ વ્યવસાય કરતા બહેનોને પોતાની રોજી રોટી બંધ કરીને ઘરે ના બેસવું પડે

આ મોંઘવારીના દિવસોમાં જો પીવાના પાણી માટે લોકોને ઘરે બેસવું પડે તો ઘરનું ગુજરાન ચલાવવું બહુજ મુશ્કેલ બન્યું છે ટૂંક સમયમાં આ સમસ્યાનો નગરપાલિકા દ્વારા નિકાલ કરવાની આવે તો આવા ગંદા પાણીના વાસણો ભરીને નગરપાલિકા ઓફિસમાં છાંટવામાં આવશે તેવી ચીમકી આ વિસ્તારના મહિલાઓ દ્વારા ઉચ્ચાર કરવામાં આવી છે

રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં ઉત્તરાયણ પર્વે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ચાર હેલ્પલાઇન વાન ડૉક્ટર સ્ટાફ સાથે તૈનાત કરાશે.

પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા માટે અપીલ જીવદયા: પક્ષીઓની…

યાત્રાધામ બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાની 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

સદગુરુ શ્રી બજરંગદાસબાપના ધામમાં તા.6 જાન્યુઆરી, 2026 ને મંગળવારના રોજ એક લાખથી…

સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

ભાવનગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી વર્ષ ૨૦૨૫-૨૬ નું વર્ષ…

1 of 70

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *