bhavnagar

જુલેલાલ સાહેબની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી પાલીતાણાના સિંધી સમાજ દ્વારા કરવામાં આવી

પાલીતાણા ના ગારીયાધાર રોડ પર આવેલ ઉડેરો ધામ ખાતે દર વર્ષની પરંપરાગત જુલેલાલ સાહેબની જન્મ જયંતીની સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામા આવી

જેમા સવારથી ઉડેરો ધામ ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના અને દર્શન માટે ઝૂલેલાલ મંદિરમા ઉમટી પડ્યા હતા અને સિંધી સમાજ દ્વારા સવારથી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સવારે ૧૦ કલાકે જુલેલાલ મંદિરથી ભવ્ય શોભયાત્રા પણ કાઢવામાં આવી અને આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરથી શરૂ કરી બાયપાસ રોડ , બાપા સીતારામ ચોક , બસ સ્ટેન્ડ રોડ , ભૈરવનાથ ચોક , મેઈન બજાર , તળેટી રોડ થઇને , ઝૂલેલાલ મંદિરમાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી

જેમા જુલેલાલ સાહેબની શોભા યાત્રાને લઈને શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પ્રસાદીનું અને ઠંડા પાણી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સાંજના મહા આરતી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે પાલીતાણાના સિંધી સમાજના લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી

રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મંદિર અને દેરાસરમાં લોકો ભગવાન શોધે, પણ ભગવાન તો જીવદયા હોસ્પિટલમાં વસે છે : ઈન્દ્રસેનસૂરિ મહારાજ

અબોલ જીવની સેવા કરતી જીવદયા હોસ્પિટલ અગિયાળી ખાતે ઈન્દ્રસેનસૂરિ મહારાજે મુલાકાત…

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

1 of 51

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *