bhavnagar

શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ-ભાવનગર ખાતે યુનિયન બજેટ ૨૦૨૬ “બજેટ ટોક @ કેમ્પસ” કાર્યક્રમ યોજાયો.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર સંલગ્ન શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ સભાખંડમાં તા.૧૩/૦૨/૨૦૨૬ ના શુક્રવારે બપોરે ૦૧:૦૦ કલાકે યુનિયન બજેટ ૨૦૨૬ “બજેટ ટોક @ કેમ્પસ” કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં વિષયના નિષ્ણાત/ વક્તા તરીકે ડૉ.ભાવેશભાઈ દેસાઈ એસો.પ્રોફેસર (ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી), પ્રો.ડૉ.વાસુદેવભાઈ મોદી સાહેબ (હેડ એન્ડ ડીન વાણિજય વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી), માન. જે. પી. મજમુદાર સાહેબ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી, શ્રીમતી આર.ડી.ગાર્ડી. ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, ભાવનગર.

આ સિવાય સદર કૉલેજના આચાર્યશ્રી બલભદ્રસિંહ ચુડાસમા, નોડલ ઓફિસર ડૉ.વિરમભાઇ વાળા, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં ૫૫૮ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી સોંગ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના “યુનિવર્સિટી ગાન” થી કરવામાં આવી. ત્યારબાદ સમૂહમાં “વંદે માતરમ્” ગીતનું ગાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શુભ શરૂઆત મહેમાનશ્રીઓ દ્વારા કૉલેજના આચાર્યશ્રી અને કૉલેજના પ્રાધ્યાપક મિત્રોના વરદ હસ્તે “દીપ પ્રાગટ્ય” કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત સદર કૉલેજના આચાર્યશ્રી ડૉ.બલભદ્રસિંહ આર. ચુડાસમા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહાનશ્રીઓનું પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવેલ.

પ્રાસંગિક ઉદબોધનમાં માનનીય ડૉ.જે. પી મજમુદાર સાહેબે બજેટ માત્ર આવક અને ખર્ચનો દસ્તાવેજ નથી, પરંતુ દેશના ભાવિ વિકાસ માટેનું વિઝન દર્શાવે છે. તેઓએ બજેટના ઇતિહાસ, બજેટની પ્રક્રિયા, બજેટનું મહત્વ, બજેટ શા માટે?. વગેરે મુદ્દાઓને વિદ્યાર્થિનીઓને સરળ ભાષામાં સમજાવ્યા હતા.

પ્રાસંગિક ઉદબોધનમાં પ્રો.ડૉ.વાસુદેવભાઈ મોદીએ જણાવેલ કે, કેન્દ્રીય બજેટ ૨૦૨૬ વિકસિત ભારત @૨૦૪૭ રોડ મેપ છે. આ કેન્દ્રીય બજેટમાં સરકારશ્રી દ્વારા એક ખૂબ જ મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે દરેક જિલ્લા લેવલે એક ગર્લ્સ હોસ્ટેલ હોવી જોઈએ.

આ કાર્યક્રમના વિષય નિષ્ણાંત/મુખ્ય વક્તા તરીકે ડૉ. ભાવેશભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન ભારત સરકારને ક્યા ક્યા ક્ષેત્રોમાંથી કેટલી આવક થશે? તેમ જ સરકાર ક્યા ક્યા ક્ષેત્રોમાં કેટલો ખર્ચ કરશે?. તેનું આંકડાકીય પૃથ્થકરણ કરી અર્થઘટન રજૂ કર્યું. આ ઉપરાંત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નીચેની બાબતોની માહિતી આપી.

બજેટ શું છે?. તેનો અર્થ વિગતે સમજાવ્યો. બજેટ ના હેતુઓ સ્પષ્ટ કર્યા. મહેસુલ અને મૂડી ખર્ચની વિવિધ પ્રકારની ખાદ્ય જેમાં રાજકોષિય ખાદ્યનો ખ્યાલ અને વર્તમાન બજેટમાં રહેલી રાજકોષિય ખાદ્ય વિશે માહિતી આપી. વિવિધ વિભાગોને ફાળવેલ રકમનું તુલનાત્મક પૃથ્થકરણ કર્યું વર્ષ ૧૯૯૧ ના આર્થિક સુધારાઓ જણાવ્યા નવા ઉપક્રમોની બજેટમાં જોગવાઈ વિશે માહિતી આપી કાર્યક્રમના અંતે નોડલ ઓફિસર ડૉ.વિરમભાઇ વાળાએ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી દિલીપ રાણા સર, શિક્ષણ વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ.ભરત રામાનુજ સાહેબ, રાજકીય આગેવાનશ્રીઓ માનનીય શ્રી ભરતભાઈ બારડ(મેયરશ્રી ભાવનગર મ્યુ.કોર્પોરેશન) તથા માનનીય શ્રી રાજુભાઈ રાબડીયા ચેરમેનશ્રી, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મ્યુ.કોર્પોરેશનની પ્રેરણાથી ખુબ જ મહત્વના વિષય બજેટ ટોક ૨૦૨૬ પર વ્યાખ્યાનનું આયોજન કરવાની અમારી સંસ્થાને તક આપી તે બદલ સંસ્થા પરિવારવતી ખૂબ આભાર માન્યો હતો..

સાથે પધારેલ મુખ્ય વક્તા અને ઉપસ્થિત રહેલ ડૉ. જે. પી. મજમુદાર, પ્રો.ડૉ.વાસુદેવભાઈ મોદીએ અને કૉલેજના આચાર્યશ્રી ડૉ.બી.આર.ચુડાસમા , કૉલેજ પરિવાર તથા સમગ્ર વિદ્યાર્થિની બહેનોનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ.પારૂલબેન પ્રબતાણી દ્વારા કરવામાં આવ્યું હતું
છેલ્લે ‘જન-ગણ-મન’ રાષ્ટ્રીય ગાન સમૂહમાં જોસ્સા પૂર્વક ગાવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *