bhavnagar

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે અતિ પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરમાં તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થશે

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે અતિ પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરમાં તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે અભિષેક પૂજા, દીપમાળા,રુદ્રી, રુદ્રાષ્ટક,ચાર પ્રહરની પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લામાં તળાજા થી પાંચેક કિલોમીટર છેટે,તળાજા – બગદાણા રોડ પર નવી કામલોલ ગામે એક એકર જમીનમાં,નદીને કાંઠે બીલી અને લીમડા સહિતના વૃક્ષોની સઘન વનરાજી વચ્ચે કામનાથ દાદા બિરાજમાન છે.સનાતન અને શિવ ભક્તોમાં કામનાથ દાદાનો ભારે મહિમા છે.

મહાશિવરાત્રી પર્વે કામનાથ દાદાની રસપ્રદ પ્રાગટય કથા જાણવા જેવી છે.પુરાતત્વ વિભાગના નિષ્ણાતોના મત પ્રમાણે આ શિવલિંગ અંદાજે 400 વર્ષ પુરાણું પ્રાચીન શિવલિંગ છે.મંદિરને અડીને ક્યારેક કમળાઈ અને હવે તળાજીના નામે ઓળખાતી નદીના એક ઊંડા ધરામાં થી આ શિવલિંગ મળ્યું હતું.આજે એ ધરો મહાદેવીયા ધરા તરીકે ઓળખાય છે. લગભગ દોઢસો વર્ષ પહેલાં પ્રાચીન મંદિરના મૂળ ગર્ભ ગૃહને જાળવીને આ શિવાલયનો જીર્ણોદ્ધાર થયો હતો.

આજે ગુજરાતના ગામે ગામ જેઓ બાપા સીતારામના વહાલા નામે ભાવિકોના આરાધ્ય બની ગયા છે એવા પરમ સમર્થ બજરંગદાસ બાપાને આ જગ્યા અને મહાદેવ દાદા પ્રત્યે ખૂબ ભાવ અને આસ્થા હતી.તેમણે ગામના ખેડૂત પાસેથી જમીન ખરીદીને કામનાથ મહાદેવ દાદાને સમર્પિત કરી હતી.તળાજા થી બગદાણા જતા ભક્તો આ સ્થળે વિસામો કરે,અને સંતો,ભક્તો,અભ્યાગતોની અહીં સેવા થાય એવો એમનો ભાવ હતો.

આજે પણ વારસાઈ ટ્રસ્ટના સંચાલકો દ્વારા બાપાની પ્રેરણા થી શરૂ થયેલી આ સેવા પરંપરા જાળવી રાખવામાં આવી છે.

નદીમાંથી શિવલિંગની સાથે પોઠિયાની ખંડિત પ્રતિમા,ભૈરવજી સહિત વિવિધ પ્રતિમાઓ, અને પથ્થરની સિંહ પ્રતિમા મળી હતી. જે સંકેત આપે છે કે સદીઓ પહેલા અહીં શિવજી અને માતા શક્તિનું ભવ્ય દેવાલય હોવું જોઈએ.અહીં થી પુરાતત્વ ખાતાએ કેટલાક અવશેષો લીધા હતા.બાકીના આજે પણ યાદગીરી રૂપે જાળવી રાખવામાં આવ્યા છે.બીલીના 15 થી વધુ વૃક્ષોની વનરાજી બિલ્વ વન વચ્ચે શિવાલયની આસ્થા વધારે છે. આ જગ્યા મહા શિવરાત્રીની કથાની યાદ અપાવે છે અને સાક્ષાત શિવધામની અનુભૂતિ આ પાવન જગ્યાએ થાય છે.

હાલમાં પરિવાર પરંપરા અનુસરીને મહંત હરદેવગિરી દોલતગીરી આ જગ્યાએ સેવા પૂજા ,દેખરેખ અને સંચાલન કરે છે.આખું વર્ષ વિવિધ શિવ પર્વો અને ઉત્સવોની ધૂમધામ થી ઉજવણી આ જગ્યાને જીવંત અને ઉર્જાવાન રાખે છે.

રસપ્રદ વાત એ છે કે મહંત હરદેવગીરી પૂર્વ જીવનમાં એક સફળ પત્રકાર રહ્યા હતા. તેમણે પ્રતિષ્ઠિત ગ્રુપના અખબારમાં બે થી વધુ દાયકા સુધી કલમકર્મ કર્યું. વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રીની જવાબદારી અદા કરી.તે પછી પત્રકારીતા છોડીને એમણે શિવ સેવા સ્વીકારીને ગોસ્વામી પરિવારની વારસાઈ પરંપરા દીપાવી છે.મહા શિવરાત્રીના પર્વે આ શિવાલયમાં ચાર પ્રહરની પૂજા, રુદ્રાભિષેક,લઘુ રુદ્રની ભક્તિ સરવાણી વહે છે જેનો ભાવિકો વ્યાપક લાભ લઈને શિવમય બને છે.

સ્થળ ના અપરંપાર મહિમાની જાણકારી આપતાં હરદેવગિરી જણાવે છે કે બગદાણા થી 14 કીમી અને તલાજાથી 5 કીમી દુર આ સ્થાન છે. પૂજય બજરંગદાસ બાપા અહીં અવાર નવાર આવતા. અહી સાધુ સંતો માટે જમવાની રહેવાની વ્યવસ્થા છે.

બાપા સીતારામ એટલેકે બગદાણાનાં બજરંગદાસ બાપુ એ અમોને 20 વીઘા જમીન ખરીદીને ભેટ આપી હતી. આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. 400 વર્ષ પૌરાણિક છે. વર્તમાન મંદિર 145 વર્ષ જૂનું છે. બીજીવાર જીર્ણોધાર કર્યે ૧૮ વર્ષ થયા છે. મૂળ મંદિરની સ્થિતિમાં તોડફોડ કર્યા વગર જીર્ણોધાર કર્યો છે.

હરદેવ ગીરીએ વડોદરામાં લાંબો નિવાસ કર્યો છે. એટલે વડોદરાના શિવ ભક્તોને આમંત્રણ આપતાં કહે છે કે ભાવનગર આવો તો આ કામનાથ ધામ અવશ્ય આવજો. રહેવા જમવાની વ્યવસ્થા છે. ગમે તેટલી વ્યક્તિ હશો કોઈ ચિંતા નથી,બધાનું સ્વાગત થશે. પરિવાર સાથે આવનાર માટે તો અલગ વ્યવસ્થા છે. અભિષેક પૂજા સહિત વિધિવત શિવ પૂજનનો લ્હાવો લેવા જેવો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *