bhavnagar

પાલીતાણા શહેરના મુખ્ય સર્કલ પર પાણીની લાઈન લીકેજ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા

લોકોને ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

પાલીતાણા શહેરના ભૈરવનાથ સર્કલ પર છેલ્લા બે દિવસથી પાણીની લાઈન લીકેજ થઈ છે જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

પાલીતાણા શહેરનું આ મુખ્ય સર્કલ ગણવામાં આવે છે કારણ કે અહીંથી કાયમી ધોરણે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે કારણ કે આ રસ્તા પર તળાજા ગારીયાધાર તેમજ શહેરની મુખ્ય બજાર તેમજ શાકમાર્કેટ આવેલી છે જેના કારણે આ રસ્તા નો સતત લોકોને ઉપયોગ કરવો પડતો હોય છે

ત્યારે શહેરના ભૈરવનાથ સર્કલ પર અવારનવાર આ પાણીની લાઈન લીકેજ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે આ રસ્તા પર એવડા મોટા ખાડાઓ છે કે પાણી ભરાતા લોકોને અંદાજ પણ નથી આવતો કે અહીં ખાડો છે જેના કારણે લોકો ખાડામાં ભરાઈને અકસ્માત સર્જી રહ્યા છે અને બીજી તરફ આ ખાડાઓને લઈને આ રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાય છે

પરંતુ અવારનવાર આ રસ્તા પર પાણીની લાઈન લીકેજ તેમજ મોટા મોટા ખાડાઓનો નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી અને તેના જ કારણે પાલીતાણામાં જાણે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે

કારણ કે આ રસ્તા પરથી નગરપાલિકા ચીફ ઓફિસર, પાલીતાણા ના તમામ પોલીસ કર્મચારી, પાલીતાણા મામલતદાર, તેમજ પાલીતાણા ડેપ્યુટી કલેકટર પણ આજ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ લાગે છે કે પાલીતાણાની આ ખરાબ હાલત કોઈને દેખાતી જ નથી

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *