bhavnagar

પાલીતાણા શહેરના મુખ્ય સર્કલ પર પાણીની લાઈન લીકેજ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા

લોકોને ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

પાલીતાણા શહેરના ભૈરવનાથ સર્કલ પર છેલ્લા બે દિવસથી પાણીની લાઈન લીકેજ થઈ છે જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

પાલીતાણા શહેરનું આ મુખ્ય સર્કલ ગણવામાં આવે છે કારણ કે અહીંથી કાયમી ધોરણે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે કારણ કે આ રસ્તા પર તળાજા ગારીયાધાર તેમજ શહેરની મુખ્ય બજાર તેમજ શાકમાર્કેટ આવેલી છે જેના કારણે આ રસ્તા નો સતત લોકોને ઉપયોગ કરવો પડતો હોય છે

ત્યારે શહેરના ભૈરવનાથ સર્કલ પર અવારનવાર આ પાણીની લાઈન લીકેજ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે આ રસ્તા પર એવડા મોટા ખાડાઓ છે કે પાણી ભરાતા લોકોને અંદાજ પણ નથી આવતો કે અહીં ખાડો છે જેના કારણે લોકો ખાડામાં ભરાઈને અકસ્માત સર્જી રહ્યા છે અને બીજી તરફ આ ખાડાઓને લઈને આ રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાય છે

પરંતુ અવારનવાર આ રસ્તા પર પાણીની લાઈન લીકેજ તેમજ મોટા મોટા ખાડાઓનો નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી અને તેના જ કારણે પાલીતાણામાં જાણે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે

કારણ કે આ રસ્તા પરથી નગરપાલિકા ચીફ ઓફિસર, પાલીતાણા ના તમામ પોલીસ કર્મચારી, પાલીતાણા મામલતદાર, તેમજ પાલીતાણા ડેપ્યુટી કલેકટર પણ આજ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ લાગે છે કે પાલીતાણાની આ ખરાબ હાલત કોઈને દેખાતી જ નથી

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ…

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર થયું

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ; દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો…

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

​શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના…

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની…

1 of 71

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *