bhavnagar

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાં 11 ફેબ્રુઆરી, 2026ના રોજ શ્રી ઋત્વિક શર્માએ અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો.
શ્રી ઋત્વિક શર્મા ભારતીય રેલ યાઁત્રિક ઈજનેરી સેવા (IRSME)ના 2008 બેચના વરિષ્ઠ અધિકારી છે. તેમણે સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટિસ (S.C.R.A.), જમાલપુરમાંથી યાંત્રિક ઈજનેરીમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી છે.

કાર્યભાર સંભાળવા પૂર્વે, શ્રી શર્મા અજમેર કારખાનામાં ઉપ મુખ્ય યાંત્રિક ઈજનેર (કેરેજ) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અજમેર કારખાનાને બેસ્ટ વર્કશોપ શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

તે પહેલાં, દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર મંડલમાં વરિષ્ઠ મંડલ યાંત્રિક ઈજનેર તરીકે કાર્ય કરતી વખતે તેમણે ફ્રેટ લોડિંગ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેના પરિણામે ચક્રધરપુર મંડલને મેકેનિકલ ઈજનેરી શીલ્ડ પ્રાપ્ત થઈ હતી.

આ ઉપરાંત, શ્રી ઋત્વિક શર્મા દક્ષિણ પૂર્વ રેલવેમાં DGM (G) સહિત વિવિધ મંડલોમાં યાંત્રિક ઈજનેરી વિભાગના અનેક મહત્વપૂર્ણ પદો પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *