bhavnagar

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

200 થી વધુ ખેડૂતો અને ૩૫ મહિલાઓએ મેળવ્યું માર્ગદર્શન

તા. ૨૪ ફેબ્રુઆરી શનિવાર

પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (સીએસઆર) અને ગ્રામદક્ષિણામૂર્તિ સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર (સીએએચડી), મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર એક ભવ્ય રાજ્યસ્તરીય સેમિનાર અને ખેડૂત માર્ગદર્શન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ખેતી તથા મૂલ્યવર્ધન ક્ષેત્રે જોડાયેલી ૩૫ જેટલી મહિલા ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં લોકભારતી અને ગ્રામદક્ષિણામૂર્તિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અરુણભાઈ દવે (અરુણદાદા) દ્વારા તમામ ખેડૂતોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે આખા દિવસ માટે એક પ્રેરણાદાયક વાતાવરણ પૂરું પાડ્યું હતું. પર્યાવરણ અને ઔષધીય બાગાયત પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવતા મહેમાનોનું સન્માન શાલ, સ્મૃતિચિહ્ન અને શતાવરીના છોડ આપીને કરવામાં આવ્યું હતું.
મહાનુભાવો અને વૈજ્ઞાનિકોનું મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું.

આ શિબિરમાં ઉપસ્થિત દેશ અને રાજ્યના અગ્રણી વૈજ્ઞાનિકો તથા અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ડૉ. એ.આર. પાઠક (પૂર્વ કુલપતિ, જૂનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટી) એ ભવિષ્ય માટે ભવિષ્યલક્ષી સ્માર્ટ એગ્રીકલ્ચર અને આધુનિક ટેકનોલોજી અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું.

ડૉ. અરૂપ ઘોષ (ડિરેક્ટર, સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈ, ભાવનગર) એ દરિયાઈ શેવાળ (સીવીડ) આધારિત જૈવિક ખાતરોની ખેતીમાં રહેલી ક્રાંતિકારી ક્ષમતા અંગે માહિતી આપી હતી.

ડૉ. મનીષ દાસ (ડિરેક્ટર, આઈસીએઆર-ડીએમએપીઆર) અને તેમની સાથે ઉપસ્થિત બે વૈજ્ઞાનિકોએ ઔષધીય અને સુગંધિત પાકોને આવકના નવા અને મજબૂત વિકલ્પ તરીકે વિકસાવવા પર ભાર મૂક્યો હતો.
ડૉ. વૈભવ મંત્રી (ચીફ સાયન્ટિસ્ટ, સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈ) એ દરિયાઈ શેવાળની ખેતીને વધુ મજબૂત બનાવવા માટે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડૉ. અરુણભાઈ દવે એ વિજ્ઞાનને ખેડૂતોના આંગણા સુધી લઈ જવાના તેમના આજીવન મિશન અને અનુભવોથી ઉપસ્થિત લોકોને પ્રેરિત કર્યા હતા.ડૉ. પી.કે. શુક્લા (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ – સ્પેશિયલ પ્રોજેક્ટ્સ, પીડિલાઇટ) એ સંકલિત અને સમુદાય આધારિત ટકાઉ વિકાસ અંગે પ્રોત્સાહન આપ્યું હતું.

શ્રી સુબોધ શાહ (ગુજરાત હેડ, અપેડા) એ ખેડૂતોને તેમના પાકને વૈશ્વિક બજાર માટે નિકાસ-યોગ્ય બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી જે.એમ. પરમાર એ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

કેન્દ્રની પ્રવૃત્તિઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ: મણાર કેન્દ્રના વડા (ચીફ) ડૉ. વિરેન્દ્ર સિંહ દ્વારા કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ અને ખેડૂતલક્ષી સિદ્ધિઓનું પીપીટી દ્વારા સચોટ પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર જે.એમ. પરમારની પણ વિશેષ હાજરી રહી હતી.

પ્રગતિશીલ ખેડૂતો અને મહિલાઓનું સન્માન થયું હતું .કાર્યક્રમના અંતમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહાનુભાવોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા:કમલા જૈન (મહુવા): મશરૂમ ખેતીના સફળ સ્ટાર્ટ-અપ દ્વારા રોજગાર સર્જન માટે.મુકેશભાઈ નાકરાણી (કુંઢેલી): પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ કાર્ય માટે.સોનલબેન દિહોરા (અલંગ): ‘શ્રી ગણેશાય’ જૂથ દ્વારા ટકાઉ જીવનોપાર્જન માટે.જાગુબેન ચુડાસમા (અલંગ): ‘વેલનાથ મહિલા મંડળ’ ના અસરકારક નેતૃત્વ માટે. રમેશભાઈ જમોડ (કરકોલીયા): પ્રાકૃતિક ખેતીમાં નવીન અભિગમ માટે.
આ કાર્યક્રમમાં આબોહવા-અનુકૂળ ખેતી, વિજ્ઞાનથી ખેતર સુધીના ટેકનોલોજી ટ્રાન્સફર અને ટકાઉ આજીવિકા મોડેલ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પીડિલાઇટ સીએસઆર ની ટીકેએફ, જીએનએસ અરણેજની ટીમ, મુખ્ય કચેરી (એચઓ) ની ટીમ, પશુપાલન વિભાગની ટીમ અને તેમની સાથે પ્રગતિશીલ ખેડૂતોએ પણ ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી હતી.

સેમિનાર પૂર્ણ થયા બાદ તમામ મહાનુભાવો અને ખેડૂતોએ મણાર કેન્દ્રના નિદર્શન ક્ષેત્રો અને લેબોરેટરીની મુલાકાત લીધી હતી. જ્યાં કેન્દ્રની કામગીરી, ચાલી રહેલી નવીનતાઓ અને મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મંચસ્થ મહાનુભાવો અને નિષ્ણાતોએ આ કામગીરીની ભારોભાર પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ ખેડૂત સમુદાય માટે અત્યંત જ્ઞાનવર્ધક, પ્રાયોગિક ઉકેલો આપનારો અને પ્રેરણાદાયી સાબિત થયો હતો, જે ભવિષ્યમાં ટકાઉ ખેતી પ્રત્યેની સૌની સહિયારી કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

પચ્છેગામ શ્રી મુરલીધર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *