Breaking NewsLatest

અમદાવાદ શ્રેય હોસ્પિટલ જેવું થયું પુરનાવર્તન: જામનગરની કોવિડ GG હોસ્પિટલમાં લાગી આગ. મોટી જાનહાની થતા બચી. ફાયર કર્મીઓને સલામ..

જામનગર: થોડા સમય અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં આઠ દર્દીઓના મોતની કરૂણાંતિકાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં વધુ એક ઘટના જામનગરની જી.જી.હોસ્પિટલમાં બની છે. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી અને દર્દીઓને તાબડતોબ બહાર કાઢવા માટે દોડધામ થઇ હતી. જો કે સદ્ નસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નહતી. ફાયર વિભાગના કર્મીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા એક મોટી દુર્ઘટના બનતા અટકી છે. ઘટનાની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર કે કે બિશનોઈ તાત્કાલિક ટિમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગનો તાગ મેળવી તેઓએ પોતે 5 દર્દીઓ ને બહાર કાઢી ફાયર કર્મીઓની મદદથી અન્યત્ર શિફ્ટ કરી દીધા હતા. બીશ્નોઈ એ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ હું પોતે અહીં ICU માં દાખલ હતો જેના અનુભવના આધારે મેં દર્દીઓને બહાર કાઢ્યા.આમ 9 દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફાયર ફાઈટરની 5 ગાડીઓની મદદથી આગ પર પૂર્ણ કાબુ મેળવાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *