Breaking NewsLatest

કલાકારો ના હાલ થયા બેહાલ…. ” પાલનપુર સંગીત કલાકાર સંગઠન ” દ્વારા જીવન નિર્વાહ માટે ધંધા-રોજગાર શરૂ કરો અથવા સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર થાય તેવી માગણી કરાઇ….

 

જય ભારત સહ પાલનપુર શહેર ના સંગીત ક્ષેત્રે સંકળાયેલ તમામની આપ સા. શ્રીને નમ્ર અરજ કે, છેલ્લા સાત – આઠ મહિનાથી કોરોના જેવી વૈશ્વિક મહામારી ના કારણે અમો કલાકાર અને આ ક્ષેત્રે સંકળાયેલ તમામ લોકોની આજીવિકા બિલકુલ બંધ છે અમારા બધાની હાલત ખબુ જ કફોડી બની ગઇ છે કલા જગત સાથે સંકળાયેલ કલા કસબીઓને અત્યારે કોઇ પણ જાતની આવક નથી ત્યારે આવી મહામારીની પરિસ્થિતિમાં જયારે સામાન્ય રીતે બધા ધંધા – રોજગાર શરૂ થઇ ગયા છે તો હવે અમારા પણ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ધંધા રોજગાર શરૂ કરવામાં આવે અથવા અમોને આર્થિક સહાય કરવા આવે તેમજ લોનના હપ્તામાં રાહત આપવામાં આવે એવી અમો તમામ કલાકારો આપ સા.શ્રીને નમ્ર અરજ કરીએ છીએ. તેમજ અમારા ધંધા રોજગારમાં થોડી છુટછાટ આપવામાં આવે તો કલા જગત સાથે સંકળાયેલ તમામ લોકોને આવકનો એક સ્ત્રોત ચાલુ થાય.
અમારામાથી મોટાભાગના છેલ્લા ૧૫ – ૨૦ વર્ષથી આ પ્રવૃતિ સાથે સંકળાયેલ છીએ પરંતુ કયારેય અમોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડેલ નથી. આવી વિકટ પરિસ્થિત આટલો લાંબો સમય ચાલવાથી અમારી હાલત અત્યંત કફોડી બનવા પામેલ છે અમારૂ તથા અમારા પરિવારનું ગુજરાન ચલાવવાનું ખૂબ જ કઠીન બની ગયુ છે તો કલા જગત સાથે સંકળાયેલ તમામ લોકો આપ સા. શ્રીને તેમજ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અત્યારે સરકારશ્રીની ગાઇડ લાઇનના અમલીકરણ સાથે કાર્યક્રમો શરૂ કરવાની મંજૂરી આપો તો અમારૂ ગુજરાન વળી પાછું શરૂ થાય તેવી આપ સા. શ્રીને તથા સરકારશ્રીને આ વિનંતી પત્ર ધ્વારા અરજ કરીએ છીએ.

લી.
પાલનપુર સંગીત ક્ષેત્રે સંકળાયેલ કલાકારો વતી…
રીના જોષી,રાજુભાઇ ડાભી,મહેશ બારોટ ,સંગીતા પ્રજાપતિ ,હરી ખરેરા,મીના ઠાકોર ,જ્યોતિ બારોટ …વિગેરે હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *