Breaking NewsLatest

અંબાજી ખાતે ખેમીબા મહારાજ અને મગન મહારાજ નિર્વાણ દિને ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. અંબાજી ખાતે વિવિધ સંતોના આશ્રમ પણ આવેલા છે. અંબાજી પોલીસ સ્ટેશન સામે બાલાજી નગર માં વર્ષોથી મગનરામ મહારાજ અને ખેમીબા મહારાજ નો આશ્રમ પણ આવેલો છે. આજે 31 માર્ચ હોય ખેમીબા મહારાજ નિર્વાણતિથિ ના દિવસે આશ્રમ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મગન રામ મહારાજ અને ખેમીબા મહારાજને યાદ કર્યા હતા.


અંબાજી પોલીસ સ્ટેશન સામે બાલાજી નગર મા મગન મહારાજ અને ખેમીબા મહારાજ નો આશ્રમ આવેલો છે.42 વર્ષ અગાઉ મગન મહારાજ સ્વર્ગધામ જતા તેમની સમાધી કોટેશ્વર ખાતે બનાવવામા આવી હતી જ્યારે 11 વર્ષ અગાઉ ખેમીબા નુ અવસાન થતા તેમની સમાધી તેમના આશ્રમ ખાતે બનાવવામા આવી હતી. દર ગુરૂવારે સાંજે અહી ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે. ખેમીબા જ્યાં સુધી જીવ્યા ત્યા સુધી કોઈના ઘરે માંગવા ગયા ન હતા અને ગુરૂ મહારાજ ની કૃપા થી તેમના ભકતો ખૂબ ઉચ્ચ સ્થાને નોકરી કરી રહ્યા છે.

:- આ મહારાજ આવ્યા આજે :-

1.કોટડી નિવાસી પરથીરામ મહારાજ

2.સૌરાષ્ટ્ર થી મધુરમ મહારાજ

3.રાજસ્થાનથી મનસારામ મહારાજ

4.ભગજીભાઈ મહારાજ

5.અંબાજી સર્વ ભક્ત મંડળ ના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


ભક્તો માટે ભોજન પ્રસાદી સારાભાઈ વાળી ધર્મશાળા મા યોજાયું હતું જ્યારે રાત્રે ભજન મંડળીઓ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *