Breaking NewsLatest

અંબાજી નજીક બાઇક નો એસટી બસ સાથે અકસ્માત, ઉપલી બોર ના વ્યક્તિ નુ મોત

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી હાઈવે ઉપર આવેલ હોઈ આ હાઈવે માર્ગ ઉપર વિવિધ કક્ષાના વાહનો અવર જવર કરી રહ્યા છે ત્યારે આજે સવારે 9 વાગે કોટેશ્વર ત્રણ રસ્તા નજીક અને કામાક્ષી મંદિર પાસે નવસારી થી અંબાજી તરફ આવતી એસ.ટી બસ સાથે સામેથી આવી રહેલા બાઇકચાલકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે ઉપલી બોરના યુવકનુ મૃત્યુ થયું હતું.


અંબાજીના આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે 9 વાગે અંબાજી હિંમતનગર હાઈવે ઉપર કોટેશ્વર ત્રણ રસ્તા નજીક અને કામાક્ષી મંદિર પાસે ગુજરાત વાહન વ્યવહાર નિગમની એસટી બસનો બાઈક સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો અને અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું થોડી જ વારમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા મૃતદેહને અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. નવસારી થી અંબાજી આવતી એસટી બસને કોટેશ્વર ત્રણ રસ્તા નજીક અકસ્માત થયો હતો અને વધુ તપાસ અંબાજી પોલીસ ચલાવી રહી છે . મૃત્યુ જનાર યુવક રાજસ્થાન રાજ્યનો હતો

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *