Breaking NewsLatest

ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ મેળાની પૂર્વ તૈયારી અંગે જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ.
રાજ્ય સરકારના ગરીબી ઉન્મૂ લન માટેના મહત્વાષકાંક્ષી ગરીબ કલ્યાોણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટેનુ ખાસ આયોજન થાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર સતત સક્રિય રહીને લાભાર્થીને યોજનાકીય લાભ આપવા આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેમાં સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૪ ફેબ્રુઆરીના યોજાશે.

આ ગરીબ કલ્યાણ મેળામાં ગામડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને અગ્રતા આપી એક મંચ પરથી વિવિધ યોજનાકીય સાધન સહાયથી ગરીબ લાભાર્થીઓને લાભાન્વિજત કરવામાં આવશે. દરેક અમલીકરણ અધિકારીઓએ ખાસ રસ લઈ પોતાના વિભાગની યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરી આ મેળા થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારી સહાય મળી રહે તે જોવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.


આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી મોદી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડામોર, નાયબ વનસંરક્ષક સુશ્રી કનકબા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ અન્ય અમલીકરણ અધિકારીઓ અને પ્રાત અધિકારીઓ વિડિયો કોન્ફરસીંગથી ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 660

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *