Breaking NewsLatest

ગુજરાત NCC નિદેશાલય હેઠળ આવતા તમામ પાંચ ગ્રૂપ હેડક્વાર્ટર અને 43 યુનિટ્સ ખાતે 73મા “NCC દિવસ”ની ઉજવણી.

અમદાવાદ: દર વર્ષે નવેમ્બર મહિનાના ચોથા રવિવારે NCC દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે 28 નવેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે, ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ NCC નિદેશાલય હેઠળ આવતા તમામ પાંચ ગ્રૂપ હેડક્વાર્ટર અને 43 યુનિટ્સ ખાતે ધ્વજવંદન અને પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના આદરણીય રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી તરફથી પ્રાપ્ત થયેલા શુભેચ્છા અને પ્રશંસા સંદેશાઓ કેડેટ્સની સમક્ષ વાંચવામાં આવ્યા હતા. ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક નિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે નેશનલ કેડેટ કોરની 73મી વર્ષગાંઠના પ્રસંગે તમામ અધિકારીઓ, ANO, GCI, PI સ્ટાફ, નાગરિક સ્ટાફ અને કેડેટ્સને શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિવાદન કર્યું હતું.

મેજર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે NCC સમક્ષ નવા અને અણધાર્યા પડકારો આવ્યા હતા અને અમને ઘણું ગૌરવ છે કે સ્ટાફ અને કેડેટ્સના સખત પરિશ્રમ અને સમર્પણ ભાવનાના કારણે, નિદેશાલય ફરી એકવાર પ્રસંગોચિત ઉદયમાન થયું છે અને સફળતાપૂર્વક આગળ આવ્યું છે. કેડેટ્સની તાલીમ પર કોઇ અસર ના પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું અને તાલીમ કામગીરી અવિરતપણે ઑનલાઇન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવી હતી. તમામ અસરગ્રસ્ત કેડેટ્સ સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે લાગુ થવા પાત્ર શિબિરમાં જાય તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

સંસ્થાકીય તાલીમ ઉપરાંત, નિદેશાલયના કેડેટ્સે સમાજમાં પોતાના સાથીઓ પ્રત્યેની સામુદાયિક વિકાસની પ્રતિબદ્ધતાઓમાં તેમની સામાજિક સેવાઓમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો. NCC યોગદાન કવાયત અંતર્ગત સળંગ 115 દિવસ સુધી જિલ્લા પ્રશાસનોને મદદરૂપ થવા માટે NCC કેડેટ્સને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને #EkMaiSauKeLiye (એક મૈં સો કે લિયે) અભિયાનના ભાગરૂપે પણ તેઓ કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારોમાંથી બહાર આવીને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લોકો સાથે સક્રિયપણે જોડાયેલા રહ્યા હતા. કેડેટ્સે રક્તદાન, સ્વચ્છતા અભિયાન, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, વૃક્ષારોપણ જેવી અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો. કેડેટ્સ દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસોની દરેક લોકોએ પ્રશંસા કરી હતી. કેડેટ્સને તાલીમ માટે અદ્યતન તાલીમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે તે સુનિશ્ચિત કરવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ માટે એર સિમ્યુલેટર, ફાયરિંગ સિમ્યુલેટર, નેવલ સિમ્યુલેટર અને અદ્યતન સ્પોર્ટ્સ શુટિંગ રાઇફલોની ખરીદી કરવામાં આવી છે. રાજકોટ અને નાવલી ખાતે NCC એકેડેમીઓના બાંધકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

નિદેશાલયે આદિવાસી યુવાનો, દૂરસ્થ વિસ્તારોમાંથી આવતા કેડેટ્સ અને ખાસ કરીને છોકરીઓ પર વિશેષ ધ્યાન આપીને રાષ્ટ્રનિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન માટે યુવાનોને આવશ્યક જીવનરક્ષક તાલીમ પૂરી પાડીને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર સમક્ષ પોતાની દૂરંદેશી રજૂ કરી હતી. પસંદગીના વિષય તરીકે NCCનો અમલ આ દિશામાં ખૂબ જ મોટું પગલું છે. નિદેશાલયે આદરણીય પ્રધાનમંત્રીની દૂરંદેશી અનુસાર સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં NCCનું મહત્તમ કવરેજ થાય એવું પણ સુનિશ્ચિત કર્યું છે.

મેજર જનરલ અરવિંદ કપૂરે આદરણીય રાજ્યપાલ અને મુખ્યમંત્રી તેમજ આદરણીય શિક્ષણમંત્રી પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી, જેમણે રાજ્યમાં NCCની તમામ પ્રવૃત્તિઓમાં દિલથી ખૂબ જ સહકાર આપ્યો છે અને શૈક્ષણિક સંસ્થાઓના કુલપતિઓ અને આચાર્યો દ્વારા આપવામાં આવેલા સકારાત્મક સહકાર બદલ તેમનો પણ પણ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે તાલીમ અને સંખ્યાબંધ રમતો, સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ, પ્રોફેશનલ અને સાંસ્કૃતિક તેમજ સામાજિક વિકાસની પ્રવૃત્તિઓમાં કેડેટ્સની પ્રગતિ અને સિદ્ધિઓ જોઇને અત્યંત સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને વધુમાં ખાતરી આપી હતી કે, NCC ભવિષ્યમાં પણ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તેની ખાતરી કરવા માટે નિદેશાલયના સ્ટાફ અને કેડેટ્સ દ્વારા શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 667

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *