Breaking NewsLatest

ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતાં શ્રી યોગેશ નીરગુડે

સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી ભાવનગર જિલ્લાની વિકાસની ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં કલેક્ટરશ્રી ———-
ભાવનગર ખાતે કલેક્ટર તરીકે નિયુક્ત કલેક્ટરશ્રી યોગેશ નીરગુડેએ આજે વિધિવત રીતે કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
ચાર્જ સંભાળ્યાં બાદ નવનિયુક્ત કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોની સમસ્યાઓને વાચા આપીને તેમના પ્રશ્નોનું સુખદ સમાધાન કરીને જિલ્લાની વિકાસ ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું છે કે, મારી અગાઉના પુરોગામીઓએ સારું કાર્ય કરેલું છે તેને વધુ ઉંચાઇ પર લઇ જવાની મારી નૈતિક જવાબદારી રહેશે. અગાઉ જે વિકાસના કાર્યો ચાલું હતાં તેમાં ગતિ લાવીને તે ઝડપથી પુરા થાય અને લોક ઉપયોગી બને તે મારી પ્રાથમિકતા રહેશે.
કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું કે, અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે અને કોરોનાના વરવાં પરિણામો આપણે જોયાં છે.તેથી કોરોનાની સારવારને લગતી વ્યવસ્થા સુદ્ઢ રીતે ચાલે, તેનું યોગ્ય મોનીટરિંગ થાય અને લોકોને ઉત્તમ સારવાર મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપીશ.


ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રી ૨૦૧૩ ની બેચના ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. તેઓ આ અગાઉ ગાંધીનગર ખાતે એમ.એસ.એમ.ઇ. ના કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. ત્યારબાદ તેઓ ભાવનગરમાં જ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકેની ફરજ અદા કરતાં હતાં. તેથી તેઓ ભાવનગરની ભૃપુષ્ઠ અને સમગ્ર વહીવટી તંત્રથી જાણકાર છે. તેથી ભાવનગરની જનતાને તેમના અનુભવનો લાભ મળશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *