Breaking NewsLatest

મંત્રી નિમિષાબેન સુથાર અને ધારાસભ્ય સંગીતા પાટીલએ અંબાજી મંદિર ના દર્શન કર્યા

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિધ નેતાઓ અને વીઆઇપી લોકો દર્શન માટે આવી રહ્યા છે ત્યારે મંગળવારે સવારે ગુજરાત સરકારના મંત્રી નિમિષાબેન સુથાર અને લિંબાયત ના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ માતાજીના દર્શન કર્યાં હતા.


આજે વહેલી સવારે અંબાજી મંદિર ખાતે ગુજરાત રાજ્યના મહિલા મંત્રી શ્રીમતી નિમિષા બેન સુથાર પરિવાર અને આરોગ્ય કલ્યાણ રાજ્ય કક્ષા ના મંત્રી માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને તેમની સાથે સુરત લિંબાયત ના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ માતાજીના દર્શન કર્યાં હતા. મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીના દર્શન કર્યાં હતા ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે રવાના થયા હતા અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 660

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *